ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે મેચ પૂરી થયા બાદ કહ્યું, ''ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનના રૂપમાં કે. એલ. રાહુલ જળવાઈ રહેશે. વિરાટ કોહલીએ વન ડે અને ટી-૨૦ ફોર્મેટમાં વિકેટકીપરની ભૂમિકાને લઈ યુવા ઋષભ પંતને મોટો સંદેશ આપ્યો છે.
વિરાટનું કે.એલ.રાહુલને લઈને નિવેદન
કે. એલ. રાહુલને જ વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપી હતી
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગઈ કાલે મેચ પૂરી થયા બાદ કહ્યું, ''ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનના રૂપમાં કે. એલ. રાહુલ જળવાઈ રહેશે. તે ટીમમાં એવું જ સંતુલન બનાવી રાખે છે, જેવી ૨૦૦૩ના વર્લ્ડકપમાં રાહુલ દ્રવિડે ભૂમિકા ભજવી હતી.'' ઉલ્લેખનીય છે કે લોકેશ રાહુલે ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં બેટથી કમાલ દેખાડવા ઉપરાંત વિકેટકીપર તરીકે પણ શાનદાર પ્રદર્શન કર્યું.
કેપ્ટન વિરાટ કોહલીએ વન ડે અને ટી-૨૦ ફોર્મેટમાં વિકેટકીપરની ભૂમિકાને લઈ યુવા ઋષભ પંતને મોટો સંદેશ આપ્યો છે. થોડા દિવસ પહેલાં પેટ કમિન્સની બોલિંગમાં ઈજાગ્રસ્ત થવાના કારણે ઋષભ પંત ટીમની બહાર રહ્યો હતો અને તેના સ્થાને કે. એલ. રાહુલે વિકેટકીપર તરીકે જવાબદારી સંભાળી હતી. હવે કેપ્ટન કોહલીએ પંત અને એમ. એસ. ધોની-બંનેને વિકેટકીપિંગને લઈ એક મોટો સંદેશ આપી દીધો છે.
ઋષભ પંત ગઈ કાલની વન ડે માટે ઉપલબ્ધ હતો, પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને નજરઅંદાજ કરીને કે. એલ. રાહુલને જ વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપી હતી. રાહુલે રાજકોટ ખાતેની વન ડેમાં બે કેચ પકડવા ઉપરાંત એક શાનદાર સ્ટમ્પિંગ પણ કર્યું હતું. હવે શ્રેણી જીતી લીધા બાદ વિરાટ કોહલીએ કહ્યું, ''ટીમમાં વિકેટકીપર-બેટ્સમેનના રૂપમાં કે. એલ. રાહુલ જળવાઈ રહેશે. લોકેશ રાહુલ ટીમમાં એવું સંતુલન જાળવી રહ્યો છે, જેવી ભૂમિકા ૨૦૦૩ના વિશ્વકપમાં રાહુલ દ્રવિડે નિભાવી હતી. જો તમે ૨૦૦૩ના વિશ્વકપ તરફ નજર કરો તો રાહુલભાઈએ વિકેટકીપિંગ કરવાનું શરૂ કર્યું હતું, જેનાથી ટીમને ફાયદો મળ્યો વધુ એક બેટ્સમેનને સામેલ કરવાનો.'' કોહલીનું આ નિવેદન પંત અને ધોની માટે મોટા ઇશારા સમાન છે.
લોકેશ રાહુલની બેટિંગ અંગે પૂછવામાં આવતાં કોહલીએ કહ્યું, ''તે કોઈ પણ ફોર્મેટમાં કોઈ પણ ક્રમે બેટિંગ કરવા માટે તૈયાર છે, કારણ કે સંપૂર્ણ બેટ્સમેન છે. લોકેશ રાહુલ વિકેટકીપર-બેટ્સમેન તરીકે ટીમને સારું બેલેન્સ આપી રહ્યો છે. તેને તક મળી અને તેણે બધાને પ્રભાવિત કર્યા છે.''