ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર T20 સીરિઝની ત્રીજી વન-ડે રમાઈ રહી છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા T20 સીરિઝ મામલો
કેપ્ટન કોહલીએ વેડ આઉટ થયા અંગેના નિર્ણયને પડકાર્યો
ઑસ્ટ્રેલિયન ઇનિંગની 11 મી ઓવરમાં બની હતી આ ઘટના
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઑસ્ટ્રેલિયન બેટ્સમેનોએ ભારતીય બોલરોની ધોલાઈ કરી હતીઅને સ્કોરબોર્ડ પર સારા રન બનાવ્યા હતા. ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં કાંગારુ વિકેટકીપર મેથ્યુ વેડનું મોટું યોગદાન હતું. તેણે મેચમાં 53 બોલમાં 80 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી હતી જ્યારે ભારતના DRS લીધા બાદ પણ વેડને આઉટ આપવામાં આવ્યો ન હતો.
આ ઘટના ઑસ્ટ્રેલિયન ઇનિંગની 11 મી ઓવરમાં બની હતી. ટી નટરાજન તરફથી આ ઓવરમાંથી માત્ર પાંચ રન આવ્યા હતા. ઓવરના ચોથા બોલ પર મેથ્યુ વેડ એલબીડબ્લ્યુ આઉટ થયો હતો, ભારતે રિવ્યુ પણ લીધો, પરંતુ રિવ્યૂ લેવામાં થોડું મોડું કરી દીધું હતું. બિગ સ્ક્રીન પર રિપ્લે જોવામાં આવ્યું તો વેડ આઉટ હતો પરંતુ ભારતને આ વખતે મોટું નુકસાન ઉઠાવવું પડ્યું હતું. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે વેડ એલબીડબ્લ્યુ આઉટ હતો. પરંતુ અમ્પાયરે તેને આઉટ આપ્યો નહીં. આ રીતે વેડને જીવતદાન મળી ગયું અને તેણે તેનો ફાયદો ઉઠાવતા 51 રનથી પોતાની ઈનિંગ 80 રન સુધી પહોંચાડી દીધી હતી.
મેથ્યુ વેડે ખેલદિલી દાખવવી જોઈતી હતી : પ્રજ્ઞાન ઓઝા
#DRS was introduced to cut down on errors. #wade should have been walking back by now... it will hurt #virat, every run that comes now from #wade’s bat. #AUSAvIND
અમ્પાયરના આ નિર્ણયની ચર્ચા ક્રિકેટ વિશ્વમાં થઈ રહી છે અને ઘણા પૂર્વ ખેલાડીઓએ તેના પર પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે. ભૂતપૂર્વ ભારતીય સ્પિનર પ્રજ્ઞાન ઓઝાએ કહ્યું કે, DRSનો ઉપયોગ ભૂલો ઓછો કરવા માટે કરવામાં આવ્યો હતો. ઓઝાના કહેવા પ્રમાણે વેડે જાતે જ ખેલદિલી દાખવીને પેવેલિયન તરફ જવું જોઈતું હતું. અમ્પાયર્સના આ નિર્ણયથી વિરાટ કોહલીને ઘણી મુશ્કેલી થશે કારણ કે વેડનો એક એક રન વિરાટને મોંઘો પડશે.
ભૂલ ટીમ ઈન્ડિયાની છે : આકાશ ચોપરા
Right decision made. Can’t have the review after the replays are on the big screen. But was it up earlier than it should have been??? Or was it played only after 15 seconds had lapsed?? #Wade#Natarajan#AusvInd
જ્યારે બીજી બાજુ આકાશ ચોપરાએ કહ્યું કે, 'અમ્પાયરોએ સાચો નિર્ણય લીધો છે. બિગ સ્ક્રીન પર જોયા પછી તમે રિવ્યૂ ન લઈ શકો તમારે પહેલાથી જ ડીઆરએસ પર નિર્ણય લઈ લેવો જોઈતો હતો.