ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પોતાના ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. આજ કારણથી વિરાટ દુનિયાના સૌથી ફિટ ખિલાડીઓમાં શામેલ છે. પોતાની ફિટનેસમાં સુધાર લાવવા માટે વિરાટ કોહલી હવે શાહકારી ખાવા પર વધારે ફોકસ આપશે. એક રિપોર્ટ અનુસાર વિરાટે છેલ્લા ચાર મહિનાથી નૉન વેજ નથી ખાધું. એવું નથી કે તેણે નૉન વેજ પંસદ નથી વિરાટને બિરયાની અને ચિકન જેવી વાનગીઓ ખૂબ જ પસંદ છે. ચાર મહિનાથી તે માત્ર વેજિટેરિયન ખાવાનું પસંદ કરી રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર વેજ ખાવાથી વિરાટને ફાયદો થયો છે અને તેના રમતમાં પણ સુધારો થયો છે.
વિરાટ કોહલી નૉન વેજ છોડીને શાકભાજી અને ફ્રૂટ્સ વધારે ખાઇ રહ્યો છે. આ રિપોર્ટ અનુસાર ગત ચાર મહિના દરમિયાન વિરાટ કોહલી ખાવામાં પ્રોટીન શેક લીલા શાકભાજી અને સોયાબીનનો ઉપયોગ કરી રહ્યો છે તેણે ઇંડા તથા ડેયરી પ્રોડક્ટ્સથી પણ દૂરી રાખી છે. વિરાટના અનુસાર આ ડાયટથી તેની પાચન શક્તિમાં પહેલા કરતા વધારે સુધાર આવ્યો છે. તે પોતાના પહેલા કરતા વધારે ફિટ અને સ્વસ્થ મેહસૂસ કરી રહ્યો છે.
તો બીજી તરફ વિરાટ કોહલીની પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ કોહલીની મદદ કરી રહી છે. અનુષ્કાએ ગત ચાર મહિનાથી નૉન વેજ છોડી દીધું છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલી એ જણાવ્યુ કે ''જો તેણે વિકલ્પ મળે તો તે વેજરીરિયન હોવાનું પસંદ કરશે.''
ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત:
ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને એક ઇનિંગ અને 272 રનથી માત આપીને ટેસ્ટ ક્રિકેટમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી જીત હાંસલ કરી છે. ટીમ ઇન્ડિયા રાજકોટમા 2.5 દિવસમાં આ મેચ જીતી લીધી અને 98.5 ઓવરની અંદર વેસ્ટ ઇન્ડિઝને બંને ઇનિંગ્સમાં ઓલઆઉટ કરી દીધી. ICC રેન્કિંગમાં નંબર 1 પર ટીમ ઇન્ડિયા છે.
આ પહેલા ટીમ ઇન્ડિયાએ આ વર્ષમાં જ અફધાનિસ્તાનને પોતાના એતિહાસિક ડેબ્યૂ ટેસ્ટ મેચમાં ઇનિંગ અને 262 રનથી હરાવ્યુ અને વર્ષ 2017માં શ્રીલંકા વિરુદ્ઘ ઇનિંગ અને 239 રનથી જીત મેળવી.