સતત સારુ પ્રદર્શન કરતા રહેવુ અને રોજ નવા રેકોર્ડ બનાવતા રહેવાનું તો જાણે વિરાટ કોહલીની આદત થઇ ગિ છે, પણ ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડુલકરનું માનવુ છે કે, તે એકલો વર્લ્ડકપ ન જીતાડી શકે અને અન્ય સાથે ખિલાડીઓએ પણ સારુ ફોર્મ કરવુ પડશે.
સચિન તેંડુલકરે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલની ભૂમિકા, બેટિંગક્રમમાં ચોથો નંબર અને ઇંગ્લેન્ડની સપાટ પિચો પર બોલર્સની સ્થિતિ વિશે ખુલીને વાત કરી.
\
જ્યારે પૂછવામાં આવ્યુ કે, ''શું વિરાટ પર એજ રીતનુ દબાણ હશે જેવુ તેના પર 1996, 1999 અને 2003ના વર્લ્ડકપમાં હતુ?, ત્યારે સચિને જવાબમાં કહ્યુ કે, તમારી પાસે દરેક મેચમાં સારુ ફોર્મ કરનારા કેટલાક ઉમદા ખિલાડીઓ હોય છે, પણ ટીમના સપોર્ટ વિના તમે કોઇ કરી શકતા નથી. એક ખિલાડીના દમ પર ટૂર્નામેન્ટ ન જીતી શકાય, બિલકુલ નહી. બીજા ખિલાડીઓને પણ મહત્વના તબક્કે પોતાની ભૂમિકા ભજવવી પડશે. એવું ન કરવા પર ટીમને નિરાશા જ મળશે.''
ટીમમાં નંબર 4 પર કોણ રમશે તે હજુ નક્કી નથી પણ સચિને કહ્યુ કે, આપણી પાસે એવા બેટ્સમેન છે જે આ ક્રમે પણ રમી શકે છે તે એક જ ક્રમ જ છે, તેમાં લચીલાપણું હોવુ જોઇએ, નંબર 4 પર કોણ બેટિંગ કરે છે તે ચિંતાનો વિષય નથી. ટીમ નંબર 4 પર ફ્લેક્સિબલ રહી શકે છે અને પરિસ્થિતિ પ્રમાણે બેટ્સમેનને મોકલી શકે છે.
જોકે વનડે ક્રિકેટમાં બેટ્સમેનોની વધતી જતી ભૂમિકા પર નિરાશા વ્યક્ત કરતા કહ્યુ કે, ''ક્રિકેટમાં બંને એન્ડથી નવા બોલના ઉપયોગ અને ફ્લેટ પીચે બોલર્સ માટે જીવવું અઘરું કરી દીધું છે. પાકિસ્તાન-ઇંગ્લેન્ડની સિરીઝનું ઉદાહરણ આપતાં તેણે કહ્યું કે મને આશ્ચર્ય થાય જે રીતે ટીમ 350 રન કરે છે અને લક્ષ્યનો પીછો કરતી ટીમ 5-5 ઓવર બાકી રાખીને ટાર્ગેટ ચેઝ કરે છે.''
સચિન તેંડુલકરે કહ્યુ કે, ''રિસ્ટ સ્પિનરર્સની ભૂમિકા ટૂર્નામેન્ટમાં મહત્વની રહેશે. ભારતની પાસે ચહલ અને યાદવના રૂપે 2 મહત્વના સ્પિનર્સ છે, જોકે તેઓ ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગેણી રમાયેલી સીરિઝમાં એટલા પ્રભાવી રહ્યા નથી.''