કોફી વિથ કરણના લેટેસ્ટ એપિસોડમાં બાહુબલી ફેમ પ્રભાસ એસ.એસ.રાજામૌલી અને રાણા દગ્ગુબાત્તી ગેસ્ટ બન્યા હતા. આ પહેલી વખત હતુ જ્યારે પ્રભાસ કોઇ ટોક શોને ભાગ બન્યો હોય. કરણ જોહરના આ શોમાં પ્રભાસે પોતાના લવ લાઇફને લઇને ઘણા સવાલોના જવાબ આપ્યા.
શોના હોસ્ટ કરણ જોહરે જ્યારે પ્રભાસને પૂછ્યુ કે ''સેક્સ કે ફૂડમાંથી તુ શું પસંદ કરશે.'' તેના પર પ્રભાસે કહ્યુ કે ''હું ફૂડ વધારે પસંદ કરીશ.'' તો શોમાં રાજામૌલીએ જણાવ્યુ કે પ્રભાસનું હૈદરાબાદમાં એક ફાર્મહાઉસ છે. આ ફાર્મહાઉસમાં ખાવાની ઘણી ડિશો છે.''
રાજામૌલી કહે છે કે પ્રભાવ ખાવાને લઇને ખૂબ જ સાવધાન રહે છે. રાજામૌલીએ જણાવ્યુ કે પ્રભાસે ફાર્મહાઉસમાં એક પાર્ટી રાખી હતી જેમાં ખાવાની વ્યવસ્થા હતા. છેલ્લે પ્રભાસે એવી ડિશની માગણી કરી જે મેન્યુમાં ના હતી. છેવટે અડધી રાત્રે 3 વાગ્યે પ્રભાસની બહેને જાગીને તે ડિશ બનાવી આપી.
કરણ જોહરે પ્રભાસને અનુષ્કા શેટ્ટી સાથે અફેરની ખબર પર સવાલ પૂછ્યો હતો. તેના પર પ્રભાસે સ્પષ્ટ ઇન્કાર કરી દીધા. પ્રભાસે કહ્યુ કે સ્વીટી મારી સારી મિત્ર છે. અમે પાછલા 8 વર્ષથી સારા મિત્રો છીએ. પ્રભાસે કહ્યુ કે સ્વીટીની મારી વાઇફ ગર્લફ્રેન્ડ અને માતાનો પણ રોલ કર્યો છે. આ બાદ અફેરનો સવાલ જ નથી ઉભો થતો. પ્રભાસે કહ્યુ કે તે અનુષ્કા શેટ્ટી સાથે વારંવાર કામ કરવા ઇચ્છે છે. જોકે તેનું તેમના અફેરની વાત સાથે કોઇ લેવાદેવા નથી.