અક્ષય કુમાર આજે બોલીવુડના ટોપ અભિનેતાઓમાંથી એક છે. અભિનેતાએ પોતાની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે તેમણે સખત પરિશ્રમ કર્યો છે, જેના કારણે તેઓ આ ખાસ મુકામ સુધી પહોંચી ગયા છે.
અક્ષય કુમારે કૉફી વિથ કરણ 7માં અનેક મુદ્દા પર કરી વાતચીત
અક્ષય કુમાર માર્શલ આર્ટ શિખવાડીને 5 હજાર રૂપિયા કમાતા હતા
અક્ષય કુમારે આ ફિલ્મની આવકમાંથી ખરીદ્યુ હતુ ઘર
અક્ષય કુમાર કૉફી વિથ કરણ 7માં પહોંચ્યા
હવે અક્ષય કુમાર કૉફી વિથ કરણ 7માં ગયા. આ દરમ્યાન અક્ષય કુમારે અનેક મુદ્દા પર વાતચીત કરી. જેમ કે નેપોટીજ્મ, પત્ની ટ્વિન્કલની સાથે મેરિડ લાઈફ અને તેમની કારકિર્દી અંગે. અક્ષયે જણાવ્યું કે તેઓ માત્ર આ ઈન્ડસ્ટ્રીમાં રૂપિયા કમાવા આવ્યાં હતા. તેમણે જણાવ્યું કે તેઓ માર્શલ આર્ટ શિખવાડીને 5 હજાર રૂપિયા કમાતા હતા. પછી એક દિવસ તેમને એક જાહેરાતમાં કામ કરવાની તક મળી અને બે કલાક માટે તેમને 21 હજાર રૂપિયા મળ્યાં. અક્ષયને ત્યારે સમજાયુ કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં વધુ રૂપિયા કમાઇ શકે છે.
અક્ષય કુમારે પોતાની કારકિર્દી અંગે કરી વાત
ત્યારબાદ અક્ષયે પોતાના ઘરની કહાની જણાવી જ્યાં તેઓ રહે છે. અક્ષયે જણાવ્યું કે તેઓ તે સમયે દિવસના હિસાબે પૈસા લેતા હતા અને ત્યારે તેમને ફિલ્મ જાની દુશ્મનમાં કામ કરવાની તક મળી. એક સીન હતો જ્યાં વિલન મને મારી નાખે છે અને હું મરી જાઉ છુ. ત્યારબાદ મને ખબર પડી કે બીજો જે હીરો હતો તે ક્યાક ન્યુયોર્કમાં ફસાઈ ગયો છે અને તે કામ પર નહીં આવી શકે.
ત્યારબાદ અક્ષય ડાયરેક્ટરની પાસે ગયા અને કહ્યું કે શું હુ પાછો કામ પર આવી જઉં. ત્યારબાદ ડાયરેક્ટરે સ્ટોરીમાં થોડા ફેરફાર કરી નાખ્યા. તેમણે કહ્યું કે હવે ફિલ્મની કહાની એવી હશે કે તમારું પાત્ર મરશે નહીં, પરંતુ કોમામાં આવી જશે અને તેઓ પાછા આવી ગયા. તો ત્યારબાદ અક્ષયે 5 દિવસ વધુ શૂટીંગ કર્યુ અને તેનાથી સારા પૈસા કમાયા. અક્ષયે આ ફિલ્મમાંથી કમાયેલા પૈસાથી પોતાના જુહૂવાળા બંગલાની ડાઉનપેમેન્ટ કરી. જ્યાં તેઓ આજે પોતાના પરિવારની સાથે રહે છે. અક્ષયે કહ્યું, આજે જ્યાં હુ રહુ છુ ત્યાં રહેવા માટે મારે પૈસા જોઈતા હતા. જે મને ફિલ્મ જાની દુશ્મનમાંથી મળ્યાં.