મંગળવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે નજીકના મંદિરમાં દર્શન કરવાની સાથે ઓછું અને પ્રિય બોલવાનું ગણેશજી સૂચવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાથી સફળતા મળશે. રાજગરાનો શીરો બનાવીને પ્રસાદ વહેંચવાથી પણ લાભ મળશે.
મેષ (અ.લ.ઇ.)
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવુ. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જુની વાતોને ભુલી નવા કામમાં ધ્યાન આપો.
વૃષભ (બ.વ.ઉ.)
કામમાં ઉત્સાહમાં વધારો થશે. ભાઇઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે. અમુલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પુરી થશે. મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.