ચલણી નોટ ઘણા વર્ષો સુધી એકબીજાના હાથમાં ફરતી રહે છે. આ દરમ્યાન નોટ ફાટી જાય છે. એક સમય એવો આવે છે, જ્યારે નોટની હાલત એટલી ખરાબ થઇ જાય છે કે નોટ બજારમાં ચાલતી નથી. આવી નોટોને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ચલણમાંથી બહાર કરી નાખે છે અથવા પાછી લઇ લે છે.
તમારી પાસેથી લીધેલી ફાટેલી નોટોનું RBI શું કરે છે ?
RBI ફાટેલી નોટોને રિસાઈકલ કરી નાખે છે
રિસાઈકલ કરીને તેમાંથી કેટલાંક પ્રકારની પ્રોડક્ટ બનાવાય છે
ફાટેલી નોટોના કરવામાં આવે છે ટુકડા
બજારમાં ના ચાલતી નોટોનું શું થાય છે તે અંગે જાણવાની દરેક લોકોને જિજ્ઞાસા હોય છે. આવો, જાણીએ કે આ ફાટેલી નોટોનું આરબીઆઈ શું કરે છે. દરેક નોટોનું એક આયુષ્ય હોય છે. જેનો અંદાજ આરબીઆઈ નોટની પ્રિન્ટિંગ વખતે લગાવી લે છે. નોટનું આયુષ્ય પૂર્ણ થયા બાદ આરબીઆઈ તેને પાછી લઇ લે છે. જેને બેંકો દ્વારા ભેગી કરવામાં આવે છે અને પછી નોટોના નાના-નાના ટુકડા કરવામાં આવે છે. જોકે, પહેલાં આ નોટોને બાળી નાખવામાં આવતી હતી. પરંતુ પર્યાવરણની બગડતી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે નોટોને રિસાઈકલ કરવામાં આવે છે.
માર્કેટમાં વેચાય છે નવી ચીજ વસ્તુઓ
આ અગાઉ નોટોના નાના-નાના ટુકડા કરવામાં આવતા હતા. પછી રિસાઈકલ કરીને તેમાંથી કેટલાંક પ્રકારની પ્રોડક્ટ બનાવવામાં આવે છે. જેમ કે અન્ય રીસાઈકલ્ડ કાગળની ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. છેલ્લે રિસાઈકલ કરવામાં આવેલી નાની નોટમાંથી બનેલી ચીજ વસ્તુઓ માર્કેટમાં વેચવા માટે મોકલી દેવામાં આવે છે.
એક રૂપિયાની નોટ નથી છાપતુ આરબીઆઈ
ભારતમાં ચાલતી બધી કરન્સી નોટ પછી તે સિક્કા હોય કે નોટ, દરેક નોટ આરબીઆઈ છાપે છે. આરબીઆઈની પાસે 10 હજાર રૂપિયા સુધીની નોટ છાપવાનો અધિકાર છે, પરંતુ 1 રૂપિયાની નોટ ભારત સરકાર જ છાપે છે. આ ઉપરાંત ક્યારે કેટલી નોટ છાપવાની છે. તેની સ્વીકૃતિ પણ આરબીઆઈએ ભારત સરકાર પાસેથી લેવી પડે છે. જોકે, આ અંગે સરકાર પોતાનો નિર્ણય આરબીઆઈની સલાહ બાદ લે છે.