બુધવારના દિવસે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાનને તુલસી ચઢાવવાનું ખાસ મહત્વ છે. શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે ધાણાનો ઉપયોગ ટાળવામાં આવે છે. બુધવારના દિવસે ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવાથી અનેક ગણું ફળ મળે છે. જરૂરિયાત મંદ વ્યક્તિને મગનું દાન કરો તે પુણ્યનું કામ ગણાય છે. તો હવે જાણી લો કે તમારી રાશિમાં આજનો દિવસ શું લઈને આવ્યો છે અને તમારે કઈ વાતનું રાખવું પડશે ધ્યાન.
વૃષભ :- (બ.વ.ઉ)
આવકનાં પ્રમાણમાં જાવક વધશે. કોઈપણ કામમા બંધાયોલા રહેશો. આવકપ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે. કામકાજમાં ફાયદો થશે અને આનંદમાં રહેશો.
મિથુન :- (ક.છ.ઘ)
આકસ્મિક ધનલાભના યોગો જણાય છે. કોઇપણ જાતના લાંબા રોકાણ માટે સમય સારો નથી. જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે. મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે.
કર્ક :- (ડ.હ)
પિતા અને પિતરાઈ ભાઈ દ્વારા આશિર્વાદ મળશે. કોઇ નજીકના સંબંધીથી સહયોગ મળશે. ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે. વાહનનાં યોગ સારા બને છે.
સિંહ :- (મ.ટ)
ભાગ્યોદય માટે નવી તકો મળશે. ધીરજથી કામની શરુઆત કરવી. કોઈ કામમા ઉતાવળ કરવી નહિ. મિત્રો સાથે મતભેદ રહેશે.
કન્યા :- (પ.ઠ.ણ)
આરોગ્ય બાબતે સાચવવું. કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી. મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે. નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે.