મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે તો આજે અનેક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. કોઈપણ કામમાં સાવધાની સાથે આગળ વધવાથી જ લાભ થશે. ધન, મકર અને મીન રાશિના જાતકોએ વિચારીને કામ કરવાની જરૂર છે. આજનો શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. ગણેશજીને ગોળ ધરાવવાથી લાભ થઈ શકે છે. આજે લીલી વસ્તુઓનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવી છે. ઓમ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે.