રવિવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજે સૂર્યદેવને અર્દ્ય આપવાથી લાભ થઈ શકે છે. ગોળનો ઓછો વપરાશ લાભદાયી રહેશે. આ સાથે આજે ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપથી પણ લાભ થશે. ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી અનેકગણો લાભ થઈ શકે છે. આજનો શુભ રંગ લાલ અને નારંગી છે. કોઈ સારું કામ કરવા નીકળતા હોવ તો આ રંગ અવશ્ય ધારણ કરો.
મેષ :- (અ.લ.ઇ) કામકાજમાં ઉચાટ જણાશે. ઉસ્કોરાટનાં કારણે વાણીમાં દોષ જણાશે. વિવાદીત કાર્યોથી દૂર રહેવું. તબીયત બાબતે કાળજી રાખવી.