શનિવારનો દિવસ હનુમાનજીનો દિવસ ગણવામાં આવે છે. હનુમાનજી આજે અનેક રાશિઓના જાતકોને મદદ કરશે. કન્યા અને તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે જ્યારે અન્ય તમામ રાશિના જાતકોએ નાની મોટી મુશ્કેલીમાંથી પસાર થવું પડશે. તમામ મુશ્કેલીઓમાંથી રાહત મેળવવા માટે કોઈનું અપમાન ન કરવું અને ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો અને શક્ય તેટલા પ્રમાણમાં જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પણ લાભ મળે છે. તો જાણી લો આજનું તમારી રાશિનું રાશિફળ અને પ્લાન કરી લો તમારો આ અઠવાડિયાનો છેલ્લો દિવસ.
મેષ :- (અ.લ.ઇ)
કામકાજમાં ઉચાટ જણાશે. ઉશ્કેરાટના કારણે વાણીમાં દોષ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી.
મિથુન :- (ક.છ.ઘ)
કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સબંધોમાં સુધારો જણાશે. નાના સાથીઓથી સંભાળવું. સંતાનોનાં પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
કર્ક:- (ડ.હ)
કારણ વગરના વાદ-વિવાદથી દૂર રહેવું. ધન કરતા પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખવું. જમીન-મકાનના કામમાં ચિંતા રહેશે. પરિવારનાં પ્રશ્નોમાં સમાધાન મળશે.