આજે ગુરુવાર છે અને વિશેષરૂપથી બૃહસ્પતિજીની આરધના કરવી જોઇએ, જેથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે.
ગુરુવાર આ જાતકો પર ભારે
આજના દિવસે સાચવવુ જરૂરી
નવા કાર્યો આરંભ ન કરવા જોઇએ
હિન્દુ ધર્મમાં દરેક વાતનો જવાબ ધર્મ પાસે હોય છે. આપણે ગીતા વાંચીને જીવનના દરેક પ્રશ્નનો જવાબ શોધી લઇએ છીએ. અંતરિક્ષમાં રહેલા ગ્રહો આપણા જીવન પર અસર કરે છે અને તેનાથી બચવા માટે કેટલાક ઉપાયો પણ છે. જેને અપનાવવાથી જીવનની તકલીફો દૂર થાય છે.
ગુરુવારનો આજનો દિવસ આ 3 રાશિઓ માટે ખરાબ છે. આજે આ રાશિના જાતકોએ ખૂબ ધ્યાન રાખવુ જોઇએ નહીતર તેમનુ ભારે નુકસાન થઇ જશે.
તુલા
આ રાશિના જાતકોને માનસિક પરેશાની અને વિચારોમાં અસ્થિરતા વધશે. જેના કારણે નિર્ણય લેવામાં કઠણાઇનો સામનો કરવો પડી શકે છે. આજે કામમાં પણ થોડી તકલીફ રહેશે પરંતુ આવક સારી થશે. ભાગ્ય આ સમયે થોડુ નબળુ હોવાના કારણે કોઇ નવુ કાર્ય આરંભ ન કરવું.
મિન
આ રાશિના જાતકોને વ્યવસાયમાં કેટલીક પરેશાની રહેશે પરંતુ પૈસા બાબતે કોઇ તકલીફ નહી પડે. વૈવાહિક જીવન સુખદ અને અનુકુળ રહેશે. પરિવારમાં ફણ સુખ રહેશે અને પ્રેમ સંબંધી સમસ્યા દૂર થશે.
મેષ
મેષ રાશિના જાતકોને કોઇ નવા કામમાં સાહસ ન કરવુ જોઇએ. તમારો આત્મવિશ્વાસ ભલે દ્રઢ હોય પરંતુ ભાગ્ય સાથે ન હોવાના કારણે વ્યાપાર ક્ષેત્રમાં બદલાવ ન કરવા જોઇએ.