શનિવારના દિવસે હનુમાનજી- ભૈરવની પૂજા કરવાથી લાભ થાય છે, આજના દિવસે આથેલા ખોરાક ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આજનો શુભ અંક 5 અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. ઓમ પિંગલાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. શનિવારના દિવસે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી શુભ ફળ મળે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.
મેષ (અ,લ,ઈ)
આજનો દિવસ મધ્યમ રહે. આપનું મન આજે પ્રસન્ન રહેશે. આકસ્મિક લાભનાં યોગ છે. મિત્રો સાથે મતભેદ થવાની સંભાવના, સાચવવું.
વૃષભ (બ,વ,ઉ)
પારિવારિક તનાવ જણાય. જમીન મકાનનાં કામ આજે હાથમાં લેવા નહીં, મુશ્કેલી જણાય આજનાં દિવસે કાર્યક્ષેત્રે વાતાવરણ અનુકૂળ. દિવસ દરમિયાન કામકાજમાં સફળતા જણાય.