મંગળવાર અને હનુમાનજીનો દિવસ તમામ રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ગોળના પાણીનો રુદ્રાભિષેક કરવાથી પુણ્ય મળી શકે છે. લીલી વસ્તુઓનો વપરાશ ઓછો કરવાની સાથે જ આજે ઓમ આશુતોષ મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળશે. આજે ગોળ, ઘઉં અને ઘીનું દાન પણ લાભદાયી રહે છે.