બુધવારનો દિવસ અનેક રાશિ માટે શુભ ફળ લઈને આવ્યો છે. આજે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આજે ભગવાનને તુલસી ચઢાવવાથી લાભ થાય છે. ધાણાનો ઉપયોગ ટાળવાની સાથે ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. દાનલાયક વ્યક્તિને મગનું દાન કરવાથી શુભફળ મળી શકે છે. આજે આછો લીલો અને મોરપીંછ કલર પહેરવાથી લાભ થઈ શકે છે.