બુધવારના દિવસે પ્રવાસને વર્જિત માનવામાં આવે છે. આજનો શુભ રંગ લીલો અને મોરપીંછ છે. બુધવારે ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી લાભ થઈ શકે છે. આ સાથે ધાણાનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઓમ બુધાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. દાનલાયક વ્યક્તિને મગનું દાન કરવાથી લાભ થાય છે.