મંગળવારનો દિવસ અનેક રાશિ માટે પોઝિટિવ એનર્જીથી ભરપૂર રહેશે. નાની મોટી સમસ્યાઓને બાદ કરતાં દિવસ દરેક રાશિ માટે સારો રહેશે. આજના દિવસે ગણેશજીને ગોળ ધરાવવાનું કામ શુભ ગણાય છે. લીલી વસ્તુઓનો ઉપયોગ શક્ય તેટલો ટાળો તે જરૂરી છે. ઓમ ભૌમાય નમઃ મંત્રના જાપથી દરેક સમસ્યાઓમાં રાહત મળશે. તો જાણી લો મેષથી મીન રાશિનું મંગળવારનું રાશિફળ.