આજનો શુભ અંક 3 છે. બપોર સુધી રાહુકાળ રહેશે તેથી કોઈ પણ નવું કે સારું કામ કરતાં પહેલાં વિચારીને પગલું ભરવાની સલાહ આપવામાં આવે છે. આજે તમારાથી કોઈનું દિલ ન દુભાય તેનું ધ્યાન રાખશો. આ સાથે ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. ગુરુવારે ચણાની દાળનું દાન કરવાથી લાભ થઈ શકે છે.