શનિવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી લાભ થાય છે. આ દિવસે ભક્તિ કરવાની સાથે કોઈનું અપમાન ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું રહે છે. ઓમ શનિશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે જૂનાં કપડાંનું ગરીબોમાં દાન કરવાથી લાભ થઈ શકે છે. તો જાણી લો તમારી રાશિ પ્રમાણે આજનો દિવસ તમારા માટે શું લઈને આવ્યો છે તે વિષે.