શુક્રવાર અને મહાલક્ષ્મીનો દિવસ આજે અનેક રાશિઓ માટે શુભ સમાચાર લઈને આવ્યો છે. મિથુન, વૃષભ, કર્ક, ધન અને મકર રાશિને માટે આજનો દિવસ શુભ રહેશે જ્યારે અન્ય રાશિઓને માટે દિવસ મિશ્ર ફળદાયી રહેશે. શુક્રવારના દિવસે મહાલક્ષ્મીને ગુલાબના પુષ્પથી પૂજા કરવાથી શુભફળ મળે છે. આ દિવસે તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો શુભ ગણવામાં આવે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્યમાં વૃદ્ધિ થાય છે. આજના દિવસે ક્ષમતા અનુસાર ચોખા અને દૂધનું દાન કરવાથી લાભ મળે છે.
મેષ (અ.લ.ઇ)
પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે. શત્રુઓ ઉપર વિજય મેળવશો. પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે. આજનાં દિવસે ખોટા લોકોથી દૂર રહો.