સોમવાર અને અઠવાડિયાની શરૂઆતનો આ દિવસ અનેક રાશિ માટે ફળદાયી નીવડશે. થોડી સાવધાની સાથે કામ કરવાથી તમારા કામ પૂરાં થશે. અનેક રાશિના જાતકોને આજે પારિવારિક સુખ પણ પ્રાપ્ત થશે. આ સાથે આજના દિવસે મહાદેવજીને જળ ચઢાવવાથી ફાયદો થાય છે. દૂધનો ઓછો ઉપયોગ લાભદાયી નીવડે છે. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે. ગળી અને મીઠી વસ્તુઓનું દાન કરવાથી શુભ ફળ મળે છે.