સોમવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. વૃશ્વિક અને મેષ રાશિને આજે વધારે ફાયદો થઈ શકે છે. આ સાથે જ મકર રાશિના જાતકો માટે દિવસ બેચેની ભર્યો સાબિત થઈ શકે છે. આજનો શુભ રંગ સફેદ અને આસમાની છે. મહાદેવજીને જળ ચઢાવવાથી તમને પુણ્ય મળી શકે છે. દૂધનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. ગળી વસ્તુઓનું દાન કરવાથી પુણ્ય મળશે.