શુક્રવારનો દિવસ મહાલક્ષ્મીનો દિવસ ગણાય છે. આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવાથી અખૂટ લાભ મળે છે. ગુલાબના પુષ્પ અને શુદ્ધ મનથી કરેલી પૂજા યોગ્ય ફળ પ્રાપ્તિ આપે છે. ઓમ શુક્રાય નમઃ મંત્રના જાપથી પણ પુણ્ય મળી શકે છે. આ દિવસે ચોખા અને દૂધનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો હિતાવહ છે.