બુધવારનો શુભ અંક 2 છે અને આછો લીલો અને મોરપીંછ રંગ આજે કોઈ પણ રાશિ માટે શુભદાયી નીવડી શકે છે. આજનો દિવસ અનેક રાશિ માટે નકારાત્મક રહેવાની સંભાવના છે. તો દરેક કામમાં સાવચેતી રાખવી જરૂરી છે. આજના દિવસે પ્રવાસ વર્જિત ગણાય છે. શાલીગ્રામજીને તુલસી ધરાવીને પૂજા કરવાથી લાભ મળી શકે છે. મસાલાનો ઉપયોગ ઓછો કરવાની સાથે સાથે ઓમ સૌમ્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. આજે ગરીબોને મગનું દાન કરવાથી પુણ્ય મળી શકે છે.