મંગળવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે પારકી નિંદાને ટાળીને પોતાના કામ પર ધ્યાન રાખવાની જરૂર છે. ઓમ જગન્નાથ સ્વામીને નમઃ મંત્રનો જાપ કરવો, તેનાથી પુણ્ય મળી શકે છે. આજે સફેદ દાળ અને કાળી રોટીનું દાન શુભ ગણાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.
મેષ :- (અ.લ.ઈ)
નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. શેર સટ્ટાથી દૂર રહેવું-નુક્સાન કરાવશે.ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. કૌટુંબિક પ્રશ્નોમાં સારુ સમાધાન મળશે.
વૃષભ :- (બ.વ.ઉ)
દાંપત્યજીવનમાં અણબનાવો દૂર થશે. મકાન વાહન ખરીદવાનો અવસર મળશે. તબીયતની બાબતમાં કાળજી રાખવી. વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.