આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ પીળો અને આસમાની છે. ગુરુવારે કૃષ્ણ ભગવાનને પીળા ફૂલ ચઢાવવાથી તેઓ પ્રસન્ન થશે. જાંબલી કે કાળા કપડાં ન પહેરવાનું કહેવાયું છે. ઓમ રીં ગ્રાં ગ્રીં ગ્રોં સ: ગુરવે નમ: મંત્રના જાપથી લાભ થઈ શકે છે. શક્ય હોય તો પીળા રંગની મિઠાઈ ખાઈને ઘરની બહાર નીકળવાથી ફાયદો થઈ શકે છે. તો જાણી લો તમામ રાશિનું રાશિફળ.
મેષ (અ.લ.ઇ.)
ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવુ. મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી. સંતાનોની સામાન્ય ચિંતા રહેશે. જુની વાતોને ભુલી નવા કામમાં ધ્યાન આપો.
વૃષભ (બ.વ.ઉ.)
કામમાં ઉત્સાહમાં વધારો થશે. ભાઇઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે. અમુલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પુરી થશે. મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા.