રવિવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજના દિવસે અનેક રાશિને માનસિક શાંતિનો અનુભવ થશે. આ સાથે પરિવારમાં સ્નેહ જળવાઈ રહેશે. ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિથી લાભ થશે. નાની વાતોને મોટું સ્વરૂપ ન આપવાનું કહેવાયું છે. ઓમ પાર્વતીવલ્લભાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. આ સાથે જ ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું આજનું રાશિફળ.