શનિવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ભગવાન કૃષ્ણનું પંચોપચાર પૂજન લાભદાયી રહેશે. કર્કશ વાણી અને ખોટા વ્યવહારથી દૂર રહેવું. ઓમ ગોવિંદાય કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ પુણ્ય અપાવી શકે છે. ગરીબોને કાળી વસ્તુનું દાન કરવાથી લાભ થશે. જાણો તમામ રાશિનું રાશિફળ.
મેષ (અ.લ.ઇ.)
નવા રોકાણ માટે સારો સમય છે. માતાપિતાના સુખમાં વૃદ્ધિ થશે. સફળતાના સારા અવસરો મળશે. સુખને વહેંચવાનો અવસર મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.
મિથુન (ક.છ.ઘ.)
સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ દેવડમાં અનુકૂળતા જણાશે. રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
કર્ક (ડ.હ.)
વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના. શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃતિઓમા સાચવવુ. ખાનપાનમાં કાળજી રાખવી. પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.
સિંહ (મ.ટ.)
મહત્વના નિર્ણયો લેવામા કાળજી રાખવી. પગ અને કમરના દર્દમાં સંભાળવુ. વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે. પ્રેમસબંધોમાં તકલીફ જણાશે.