શનિવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ગૌ અને શ્વાનની સેવાથી લાભ મળશે. વડીલોનું અપમાન ન કરવાની સાથે જ ઓમ કોણસ્થાય નમઃ મંત્રનો જાપ કરવાનું સૂચન કરાયું છે. સરસિયાના તેલનું ગરીબોને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. તો જાણો તમામ રાશિઓનું રાશિફળ.
મેષ (અ.લ.ઇ.)
આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમીત્રોથી સહયોગ મળશે. પરિવારના સબંધોમાં મજબૂતાઇ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે. રોજગારી માટે ઉત્તમ તકો મળશે. મધુર વાણીથી કામ સરળ બનશે.