મંગળવાર અને ધૂળેટીનો તહેવાર અનેક રાશિ માટે ફળદાયી નીવડશે. નાની મોટી મુશ્કેલીઓને બાદ કરતાં તમામ 12 રાશિઓને માટે આજનો દિવસ ફળદાયી રહેશે. આજના દિવસે ગણેશજીને મોદકનો ભોગ ચઢાવો. બાંધેલો લોટ ફ્રિઝમાં ન રાખવો. ઓમ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરવો અને સાથે જ ગાયને ગોળ ખવડાવવો. આમ કરવાથી શુભફળ મળશે. આજનો શુભ અંક 1 અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. તો જાણી લો તમામ રાશિઓનું રાશિફળ.
મેષ (અ.લ.ઈ)
પ્રોપર્ટીને લગતા કામકાજમાં રાહત થશે. શત્રુઓ ઉપર વિજય મેળવશો. પારિવારિક તનાવ અને માનસિક અશાંતિ રહેશે. આજના દિવસે ખોટા લોકોથી દૂર રહો.