ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે સાવચેતી લઈને આવ્યો છે. આજે જો તમે સાવચેતી સાથે કામ કરશો તો તમને સફળતા મળશે. આજનો શુભ અંક 3 અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે વડીલોનો આદર કરવાની સાથે સાથે ખરાબ સોબતથી બચવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સૂરાચાર્યાય નમઃ મંત્રનો જાપ તમને શુભ ફળ અપાવી શકે છએ. આ સાથે જ ગુરુવારે ચણાની દાળનું દાન શુભ ગણવામાં આવે છે.
મેષ :- (અ.લ.ઈ)
કામકાજમાં ઉચાટ જણાશે. ઉશ્કેરાટના કારણે વાણીમાં દોષ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. તબિયત બાબતે કાળજી રાખવી.
મિથુન :- (ક.છ.ઘ)
કામના ભારને હળવો કરી શકશો. સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે. નાના સાથીઓથી સંભાળવું. સંતાનોના પ્રશ્નોમાં હળવાશ અનુભવશો.
કર્ક:- (ડ.હ)
કારણ વગરનાં વાદ-વિવાદથી દૂર રહેવું. ધન કરતાં પરિવાર મહત્વનો છે તેનું ધ્યાન રાખવું. જમીન-મકાનનાં કામમાં ચિંતા રહેશે. પરિવારના પ્રશ્નોમાં સમાધાન મળશે.