આયુર્વેદમાં પાણી પીવાના ઘણાં નિયમ જણાવવામાં આવ્યા છે. તેમાંથી જ એક છે કે હમેશાં બેસીને જ પાણી પીવું જોઈએ. જો તમે ઊભા-ઊભા પાણી પીશો તો તમને ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.
આયુર્વેદમાં પાણી પીવાના ઘણાં નિયમ જણાવવામાં આવ્યા છે
બે ઘૂંટડા પણ પાણી પીવું હોય તો પણ ઊભા-ઊભા પાણી પીવું નહીં
ઊભા-ઊભા પાણીથી કિડનીને નુકસાન થાય છે
કિડનીને નુકસાન
જ્યારે આપણે ઊભા-ઊભા પાણી પીએ છીએ ત્યારે પાણી ફિલ્ટર થયા વિના બહાર નીકળવા લાગે છે. તેનો ફાયદો શરીરને થતો નથી. તેના કારણે કિડનીમાં ઈન્ફેક્શન અને કિડની ખરાબ થવાનો ખતરો વધી જાય છે. ઊભા-ઊભા પાણી પીવાથી આપણાં ઘણાં બોડી પાર્ટ્સ પર ખરાબ અસર થાય છે. જેથી આવી તકલીફોથી બચવું હોય તો બેસીને જ પાણી પીવું જોઈએ.
સંધિવા
બે ઘૂંટડા પણ પાણી પીવું હોય તો પણ બેસીને પીઓ. જ્યારે આપણે ઊભા રહીને પાણી પીએ છીએ તો તેનાથી શરીરમાં લિક્વિડ બેલેન્સ બગડી જાય છે. તેનાથી આપણા સાંધામાં પ્રવાહીનો સંચય થાય છે, જે સંધિવા થવાનું જોખમ વધારી દે છે.
ફેફસાને નુક્સાન
ઊભા ઊભા પાણી પીવાથી ફેફસાને નુક્સાન થાય છે. હકીકતમાં જ્યારે તમે ઊભા ઊભા પાણી પીવો છો તો ફૂડ પાઇપ એટલે કે ભોજન નળી અને વિંડ પાઇપ એટલે કે શ્વસન નળીમાં ઓક્સિજનની કમી થાય છે. જો આવું વારંવાર થાય એટલે કે તમે નિયમિત રૂપે ઊભા ઊભા પાણી પીવો છો તો તેનાંથી ફેફસા અને હૃદય રોગનો ખતરો રહે છે.
પાચનતંત્ર
ઘણાં લોકોની આદત હોય છે તે બોટલમાંથી પાણી ગટગટાવી જાય છે. તેનાથી પાણી પેટમાં ઝડપથી જાય છે અને તે આપણાં પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આ ઉપરાંત, આવી પરિસ્થિતિમાં પાણીની સાથે અમુક અંશે હવા પણ પેટમાં જાય છે. તે પાચનતંત્ર નબળું પાડે છે.
બેસીને જ પાણી પીવું
આપણે બેસીને પાણી પીએ છીએ તો તેનાથી આપણી નર્વ્સ આરામદાયક રહે છે અને આપણું પાચંનતંત્ર પણ પોષક તત્ત્વોનું બહુ સારી રીતે શોષણ કરી શકે છે. કિડની પણ આ જ રીતે પીધેલાં પાણીને સારી રીતે પ્રોસેસ કરી શકે છે. બેસીને પાણી પીવાથી પાણીનો ફ્લો ધીમો રહે છે. શરીર પાણીને સહેલાઇથી ડાયજેસ્ટ કરી શકે છે અને શરીરની તંત્રિકાઓ પણ રિલેક્સ રહે છે.