શું તમને પણ પરસેવો થાય ત્યારે શરીરમાંથી સ્મેલ આવે છે? તો જાણો આ પાછળના કારણો અને ક્યા પ્રકારે આ સ્મેલને અટકાવી શકાય છે
પરસેવામાં સ્મેલ સ્કીન પર રહેલા બેક્ટેરિયાને કારણે આવે છે
સ્મેલ માટે શરીરમાં એપોક્રાઇન ગ્રંથીઓ જવાબદાર
અમુક બીમારીઓને કારણે પણ આવે છે સ્મેલ
પરસેવામાં સ્મેલ સ્કીન પર રહેલા બેક્ટેરિયાને કારણે આવે છે
ઉનાળામાં પરસવો થવો એ સામાન્ય બાબત છે. અમુક લોકોના પરસેવામાંથી એટલી ગંદી સ્મેલ આવે છે કે તેમની સાથે બે મિનિટ બેસવું પણ ભારે પડી જાય છે. આવા લોકોને પરસેવાની વાસને કારણે શરમનો પણ સામનો કરવો પડે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આપણને પરસેવો શા માટે થાય છે? આ પાછળ ક્યા ક્યા કારણો જવાબદાર છે? અને જો તમારા પરસેવામાંથી વાસ આવે છે તો આ કઈ બીમારીનાં સંકેતો છે.
જ્યારે તમારો પરસેવો સ્કીન પર રહેલા બેક્ટેરિયાનાં સંપર્કમાં આવે છે, તો શરીરમાંથી વાસ આવે છે. જણાવી દઈએ કે પરસેવાની પોતાની કોઈ સ્મેલ નથી હોતી, પરંતુ તમારી સ્કીન પર બેક્ટેરિયા આ પરસેવા સાથે મળીને દુર્ગંધ પેદા કરે છે.
શરીરમાંથી મીઠા, ખાટા કે તીખા કાંદા જેવી દુર્ગંધ આવે છે. તમારા પરસેવાની માત્રા તમારા શરીરમાં દુર્ગંધને પ્રભાવિત કરતી નથી. એટલા માટે વ્યક્તિને જો પરસેવો ન પણ થાય, તો પણ તેના શરીરમાંથી દુર્ગધ આવી શકે છે અને ખૂબ જ પરસેવો થતો હોય તેનો અર્થ એ નથી કે શરીરમાંથી દુર્ગંધ આવશે જ. શરીરમાંથી આવતી સ્મેલ એ વાત પર આધાર રાખે છે કે તમારા શરીરઆ ક્યા પ્રકારના બેક્ટેરિયા છે અને આ બેક્ટેરિયા પરસેવા સાથે કઈ રીતે સંપર્ક કરે છે.
એક્ક્રાઈન ગ્રંથીઓ
એક્ક્રાઈન ગ્રંથીઓ સ્કીનની સપાટી પર પરસેવાનું કારણ બને છે. જેમ પરસેવો સુકાય છે, આ આપણી સ્કીન ઠંડી કરવા અને બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જ્યારે કોઈ ફિઝિકલ એક્ટીવીટી કે ગરમીને કારણે બોડી ટેમ્પરેચર વધે છે, તો સ્કીન પરથી પરસેવાનું સુકાવું ઠંડક પેદા કરે છે. એક્ક્રાઈન ગ્રંથીઓ હથેળી અને તળવાની સાથે સાથે શરીરના ઘણા હિસ્સાને કવર કરે છે.
એપોક્રાઇન ગ્રંથીઓ
એપોક્રાઇન ગ્રંથીઓ પરસેવાનું ઉત્પાદન કરે છે, જે તમારી સ્કીન પર બેક્ટેરિયાનાં સંપર્કમાં આવવા પર દુર્ગંધ પેદા કરે છે. યુવાવસ્થા સુધી એપોક્રાઈન ગ્રંથીઓ કામ કરવાનું શરુ કરતી નથી, આ જ કારણ છે કે નાના બાળકોનાં શરીરમાંથી દુર્ગંધ આવતી નથી.
આ વસ્તુઓનાં સેવનથી આવે છે સ્મેલ
પરસેવો થવો બોડીની એક નેચરલ પ્રોસેસ છે, પરંતુ અમુક વસ્તુઓના સેવન, જેનેટિક અને હાઈજીનનાં કારણે પરસેવાથી દુર્ગંધ આવવા લાગે છે. આવો જાણીએ કઈ વસ્તુઓનાં સેવનથી પરસેવામાં સ્મેલ આવે છે.
ડુંગળી
લસણ
કોબી
બ્રોકલી
ફ્લાવર
લાલ માંસ
શરીરમાંથી આવતી દુર્ગંધને વધારી શકે છે આ વસ્તુઓ
કેફીન
દારુ
માલેદાર ખોરાક
પરસેવામાંથી દુર્ગંધ આવવાના કારણો
એવા ઘણા કારણો છે જેથી પરસેવામાંથી દુર્ગંહ આવે છે. ઉદાહરણ તરીકે દવા, સપ્લિમેન્ટસનાં સેવનથી પણ પરસેવામાં સ્મેલ આવી શકે છે. અમુક બીમારીઓ પણ પરસેવામાં સ્મેલ આવવા માટે જવાબદાર હોય છે. જેમકે...
ડાયાબીટીસ
મેનોપોઝ
ઓવરએક્ટીવ થાઈરોઈડ
લીવરની બીમારીઓ
કિડનીને લગતી બીમારીઓ
સંક્રામક રોગ
જો તમને ડાયાબીટીસ છે, તો પરસેવામાં સ્મેલમાં બદલાવ ડાયાબીટીસ કેટોએસીડોસિસનાં સંકેત હોય શકે છે. હાઈ કિટોનનાં લેવલને કારણે તમારું બ્લડ એસિડિક બની જાય છે, જેથી પરસેવામાં ફ્રૂટી જેવી સ્મેલ આવે છે. લીવર કે કિડનીની બીમારી થવા પર, શરીરમાં ટોક્સીન જમા થઇ જાય છે, જેથી પરસેવામાં બ્લીચ જેવી સ્મેલ આવે છે.