ધર્મની માન્યતા અનુસાર ઘરના મંદિરમાં શંખ રાખવો શુભ માનવામાં આવે છે જેના પાછળનું કારણ એ છે કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુએ પોતાના હાથમાં શંખ ધારણ કર્યા હતા એટલા માટે માનવામાં આવે છે કે જે ઘરમાં શંખ હોય ત્યાં ભગવાન વિષ્ણુના વાસ હોય છે. જે ઘરમાં ભગવાન વિષ્ણુ હશે ત્યાં માતા લક્ષ્મી સ્વંય રીતે આવશે. પૂજા-કથા વગેરેમાં શંખ વગાડવાની પરંપરા છે. માત્ર ધાર્મિક રીતે જ નહીં પરંતુ સારા સ્વાસ્થ્યની માટે પણ શંખ વગાડવો લાભકારક છે. જાણો શંખ વગાડવાના ફાયદા વિશે...
- પૂજામાં દરરોજ શંખનાદ કરવાથી શરીર અને આસપાસના વાતાવરણની શુદ્ઘિ થાય છે. વાતાવરણ શુદ્ઘ થવાથી મનુષ્યના શરીરનો વિકાસ સુદ્દઢ રૂપે થાય છે.
- માન્યતા છે શંખની અવાજ જ્યાં સુધી જાય છે ત્યાં સુધી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે મનમાં પણ સકારાત્મક વિચાર આવે છે.
- લક્ષ્મીજીને શંખ અતિપ્રિય છે જેના ઘરમાં શંખ રાખવામાં આવે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ રહે છે અને તે ઘરમાં ક્યારેય પૈસાની તંગી નથી રહેતી.
- શંખની અવાજથી થનારા કંપન્નથી શ્વાસ રોગમાં બહુ લાભકારી માનવામાં આવે છે. જે વ્યકિત શંખ વગાડે છે તેના ફેફસાનું વ્યાયમ થાય છેઅને સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે.
- શંખમાં પાણી ભરીને છાંટવાથી વાતાવરણ શુદ્ઘ થાય છે અને ઘરની તમામ નેગેટિવ એનર્જી દૂર થઇ જાય છે.