ભગવાન શિવને કૈલાસ પર્વતના સ્વામી માનવામાં આવે છે. માન્યતા છે કે મહાદેવ પોતાના પરિવારની સાથે સમસ્ચ ગણની સાથે કૈલાસમાં વાસ કરે છે. પૌરાણિક કથામાં અનેક ઘટનાઓ વિશે કહેવાયું છે જેમાં દૈત્ય અને આસુરી શક્તિઓએ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી અને તેને શિવજીને હરાવવાનો પ્રયાસ કર્યો પણ તેમના પ્રયાસ સફળ થયા નહીં. આજે પણ આ વાત એટલી જ સાચી છે જેટલી પૌરાણિક સમયે હતી. ભલે દુનિયાના પર્વતારોહકો એવરેસ્ટ સર કરી ચૂક્યા હોય પણ આજ સુધી કોઈ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી શક્યું નથી.
ભગવાન શિવ કૈલાસ પર્વતના સ્વામી છે
પૌરાણિક માન્યતા આાજે પણ અહીં સાચી ઠરે છે
આજ સુધી કોઈ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી શક્યુ નથી
હજુ સુધી કાયમ છે રહસ્ય
હિંદુ ધર્મમાં કૈલાસ પર્વતનું અનેરું મહત્વ છે. કેમકે ભગવાન શિવનું તે નિવાસ સ્થાન ગણાય છે. તેમાં વિચારવાની વાત એ છે કે દુનિયાનું સૌથી ઉંચું સ્થાન માઉન્ટ એવરેસ્ટને સર કરનારા 7000થી વધુ લોકો અહીં જવાનો પ્રયાસ કરી ચૂક્યા છે. એવરેસ્ટની ઉંચાઈ 8848 મીટર છે. પણ કોઈ અહીં પહોંચી શક્યું નથી. કૈલાસ પર્વતની ઉંચાઈ એવરેસ્ટથી 2000 મીટર ઓછી એટલે કે 6638 મીટરની છે.
વાળ અને નખ વધવા લાગે છે
કૈલાસ પર્વતને વિશે એવી વાત સાંભળવા મળી છે કે અનેક પર્વતારોહકોએ તેની પર ચઢાણ કરવાની કોશિશ કરી પણ તે અસંભવ રહ્યું. કેમકે અહીં શરીરના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે. તમારા વાળ અને નખ 2 દિવસમાં એટલા વધી જાય છે જેટલા 2 અઠવાડિયામાં વધે. આ સિવાય અહીં મોટા પ્રમાણમાં રેડિયોએક્ટિવ પણ છે. આ પર્વત ન ચઢી શકવા પાછળ અનેક વાતો પ્રચલિત છે. કેટલાક લોકો માને છે કે અહીં શિવજી નિવાસ કરે છે અને આ માટે કોઈ જીવિત વ્યક્તિ અહીં ઉપર સુધી જઈ શકતું નથી.
વ્યક્તિ થઈ જાય છે દિશાહીન
માનવામાં આવે છે કે કૈલાસ પર્વત પર થોડે ઉપર સુધી પહોંચ્યા બાદ વ્યક્તિ દિશાહીન બની જાય છે. કોઈ દિશા વિના ચઢાઈ કરવું મોતને આમંત્રણ આપવા સમાન છે. આ માટે કોઈ આજ સુધી આ પર્વત પર પહોંચી શક્યું નથી.
વર્ષ 1999માં થઈ હતી શોધ
વર્ષ 1999માં રશિયાના વૈજ્ઞાનિકોની એક ટીમે એક મહિના સુધી માઉન્ટ કૈલાસની નીચે રહીને તેના આકારને વિશે શોધ કરી. તેમનું કહેવું છે કે આ પહાડનો ત્રિકોણાકાર પ્રાકૃતિક નથી, પણ તે એક પિરામિડ છે જે બરફથી ઢંકાયેલો રહે છે. માઉન્ટ કૈલાસને શિવ પિરામિડના નામે ઓળખવામાં આવે છે. જે પણ આ પહાડને ચઢવા જાય છે તે ચઢ્યા વિના જ પાછો આવ્યો છે અથવા તો મૃત્યુ પામ્યા છે.
ચીન પણ કરી ચૂક્યું છે કોશિશ
ચીન સરકારના કહેવા માટે કેટલાક પર્વતારોહકોનું દળ કૈલાસ પર ચઢવાનો પ્રયાસ કરી ચૂક્યું છે. તેને પણ સફળતા મળી નથી અને આખી દુનિયાનો વિરોધનો સામનો અલગથી કરવો પડ્યો હતો. હારીને ચીનની સરકારે તેની પર ચઢાણ કર્યું અને રોક લગાવવી પડી હતી.
ચહેરા પર દેખાવવા લાગે છે ઉંમર
કહેવાય છે કે જે પણ આ પહાડ પર ચઢવાની કોશિશ કરે છે તે આગળ વધી શકતા નથી. તેનું હ્રદય પરિવર્તન થઈ જાય છે. અહીંની હવાની વાત અલગ છે. શરીર સૂકાવવા લાગે છે અને ચહેરા પર ઉંમર અનુભવાય છે.
રશિયાએ પણ માની હાર
ચીન જ નહીં રશિયાએ પણ કૈલાસ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. વર્ષ 2007માં રશિયાના પર્વતારોહી સર્ગે સિસ્ટિવકોવે પોતાની ટીમ સાથે માઉન્ટ કૈલાસ પર ચઢવાની કોશિશ કરી. તેઓએ કહ્યું કે થોડે દૂર સુધી ચઢ્યા પછી મારા અને ટીમના માથામાં દર્દ શરૂ થયું, પગે જવાબ આપી દીધો હતો. મારા જડબાની માંસપેશીઓ ખેંચાવવા લાગી અને જીભ થોથવાઈ ગઈ હતી. મોઢામાંથી અવાજ બંધ થઈ ગયો. મને અહેસાસ થયો કે હવે હું આગળ ચઢી શકીશ નહીં. અમે પાછા ઉતરવા લાગ્યા અને પછી આરામ મળ્યો.
દુર્ગમ છે આ ચઢાણ
ઉલ્લેખનીય છે કે 29000 ફીટ ઉંચો હોવા છતાં પણ એવરેસ્ટ પર ચઢવું ટેકનિકલ રીતે સરળ છે પણ કૈલાસ પર ચઢવાનો કોઈ રસ્તો નથી. ચારે તરફ ચટ્ટાનો અને હિમખંડોના પ્રતથી કોઈ રસ્તો મણળતો નથી. મુશ્કેલ ચઢાણમાં પર્વતારોહકો પણ હાર માની લે છે. દર વર્ષે લાખો લોકો કૈલાસની પરિક્રમા કરે છે. રસ્તામાં માનસરોવર ઝીલના પણ દર્શન કરે છે પણ કૈલાસ પર ચઢાણ ન કરી શકવાની વાત આજ સુધી રહસ્ય બની રહી છે.