ભગવાન શિવને શક્તિના અપાર ભંડાર માનવામાં આવે છે. આજ કારણથી સંસારમાં યુગો-યુગોથી તેમની પૂજા કરવામાં આવે છે. જીવન તથા મૃત્યુથી ઉપર ભગવાન શિવ જ્યાં સંસારમાં વિનાશકના રૂપમાં પૂજનીય છે ત્યારે તેમણે જીવનદાતા પણ માનવામાં આવ્યા છે. વાસ્તવમાં શિવ મહાપુરાણમાં એવી ઘણી વાર્તાઓ છે જેમાં તેમના અનેક રૂપના દર્શન થાય છે. એવી એક વાર્તા શિવપુરાણમાં વર્ણવી છે જેમાં શિવજી દ્વારા ચંદ્રમાના પ્રાણોની રક્ષા કરવા માટે તેમને પોતાની જટાઓ પર બિરાજિત કર્યા હતા.
મંથનથી નીકળેલું વિષપાન કર્યુ:
પૌરાણિક કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાથી વિષ નીકળ્યું હતુ. જેનાથી તમામ સૃષ્ટિની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન શિવે સમુદ્ર મંથનથી નીકળેલા તે વિષને પી લીધું. પરંતુ વિષ પીધા પછી તેમના શરીરમાં વિષનો પ્રભાવ વધવાથી શરીર ગરમ થવા લાગ્યું આ જોઇને ચંદ્રમાએ તેમની પ્રાર્થના કરી કે તેમના માથા પર ઘારણ કરી પોતાના શરીરની શિતળતા પ્રદાન કરે જેનાથી વિષનો પ્રભાવ ઓછો થઇ જાય.
આ માટે પહેલા શિવ ના માન્યા કેમકે ચંદ્રમાના શ્વેત અને શીતળ હોવાને કારણે તે વિષની તીવ્રતા સહન ના કરી શક્યાં હોત પરંતુ અન્ય દેવાઓના નિવેદન પછી શિવ આ માટે માની ગયા અને તેમણે ચંદ્રમાને પોતાના મસ્તક પર ધારણ કરી દીધો. એવી લોકમાન્યતા છે કે ત્યારેથી ચંદ્રમાં ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે અને સૃષ્ટિને પોતાની શીતળતા પ્રદાન કરે છે. જોકે આ વાતને લઇને અન્ય એક પૌરાણિક કથા છે જેના અનુસાર ચંદ્રમાને પુન:જીવિત કરવા માટે શિવજીએ પોતાના મસ્તક પર ધારણ કર્યા છે.
આ માટે ચંદ્રમાને કર્યા ધારણ:
વાસ્તવમાં ચંદ્રમાના લગ્ન દક્ષ પ્રજાપતિની 7 નક્ષત્ર કન્યાઓની સાથે સંપન્ન થયા જેમાં રોહિણી તેમની સૌથી વધારે નજીક હતા. આ જોઇને અન્ય કન્યાઓએ પોતાના પિતા દક્ષને પોતાનું દુ:ખ વ્યક્ત કર્યુ હતુ પોતાના ક્રોધી સ્વભાવને કારણે દક્ષે ચંદ્રમાને શ્રાપ આપી દીધો. જે પછી ક્ષય રોગથી ગ્રસ્ત થવાને કારણે ધીમે-ધીમે ચંદ્રમાની કળાઓ નાબૂત થવા લાગી જે પછી નારદજીએ ભગવાન શિવની અરાધના કરવાનું કહ્યુ તો ભોલેભંડારીએ પ્રદોષ કાળમાં ચંદ્રમાને પુન:જીવિત થવાનું વરદાન આપ્યું. જેનાથી ચંદ્રમા મૃત્યુતુલ્ય હોવા છતા પણ મૃત્યુને પ્રાપ્ત ન કરી શક્યા અને ધીમે-ધીમે સ્વસ્થ થવા લાગ્યા અને પૂનમ પર ચંદ્રમાં સંપૂર્ણ રીતે પ્રકટ થયા અને આ રીતે ચંદ્રમાને પોતાના તમામ કષ્ટોથી ભગવાન શિવની કૃપાથી મુક્તિ મળી.