લાંબા અને સુંદર વાળ દરેક સ્ત્રીનો સૌથી પ્રિય મેકઅપ છે. તૈયાર થતી વખતે સ્ત્રીઓ હંમેશા તેમની હેરસ્ટાઇલ પર સૌથી વધુ ધ્યાન આપે છે. ગર્લ્સ ફક્ત ખાસ પ્રસંગોએ જ તેમના વાળ ખુલ્લા રાખે છે. પરંતુ શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે કહેવાયું છે કે દરેક પ્રસંગે વાળ ખુલ્લા રાખવાનું સારું ગણાતું નથી. કેટલીકવાર તે અશુભ ફળ આપે છે.
ધાર્મિક ગ્રંથો પ્રમાણે સ્ત્રીઓએ તેમના વાળ બાંધી રાખવા જોઈએ. આ પાછળનું કારણ એ છે કે ખુલ્લા વાળ એ શોકની નિશાની છે. આજે પણ હિન્દુ માન્યતા પ્રમાણે કોઈ પણ શુભ કામ કરતી વખતે મહિલાઓ તેમના વાળ વ્યવસ્થિત બાંધી રાખે છે.
રામાયણમાં પણ પ્રસંગ આવે છે કે શ્રી રામ અને સીતાનાં લગ્ન વખતે સીતાજીની માતાએ સીતાજીને કહ્યું હતું કે હંમેશા તમારા વાળ બાંધીને રાખજો કેમ કે બાંધેલા વાળ તમારા સંબંધોને પણ બાંધી રાખે છે.
કહેવાય છે કે જો કોઈ સ્ત્રી નવરાત્રીમાં તેના વાળ ખોલી અને સૂવે તો તેના પર નકારાત્મક બળનો પ્રભાવ વધે છે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહિલાનાં ખુલ્લા વાળ નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે જેના કારણે ઘરમાં ક્લેશ ઉત્પન્ન થાય છે.