આજના સમયમાં સામાન્ય રીતે નીચે એટલે કે જમીન પર બેસીને ભોજન કરવાને આઉટડેટેડ અને અસભ્ય માનવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ માતા-પિતા પોતાના બાળકોને નીચે બેસીને જમવા માટે કહે છે કે તેઓ ટાળી દે છે અને સાથે જ મનમાં થાય છે કે જો કોઇને નીચે બેસીને જમતા જોઇ લઇ તો પણ તેના માટે શરમ અનુભવા લાગે છે. પરંતુ શું તમે વિચાર્યુ છે કે જૂના સમયમાં મોટા-મોટા ઋષિ અને મહર્ષિઓ જમીન પર બેસીને ભોજન કેમ કરતા હતા? વાસ્તવમાં તેઓ ન તો અસભ્ય અને ન તો નીચા તબક્કાના તેમ છતાં તેઓ શા માટે નીચે બેસીને જમતા હતા? જાણો આ પાછળના કારણ....
સામાન્ય રીતે ભારતીય પરંપરા અનુસાર જમીન પર બેસીને ભોજન કરવાનું સદીઓથી ચાલતુ આવ્યુ છે. ભલેને આજના જમાના લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને થાય પરંતુ આજે પણ ઘણા એવા લોકો છે જે સ્વાસ્થ્યને માટે વધારે સજાગ હોય તેઓ જમીન પર બેસીને ખાવાનું પસંદ કરે છે. પલાઠીવાળીને જ્યારે પણ ભોજન કરવામાં આવે તો મગજ એકદમ શાંત થઇ જાય છે અને સાથે જ ભોજન પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ જેનાથી પેટ નિયત્રંણમાં રહે છે. પલાઠી ઝડપથી ભોજનને પાચન કરવામાં મદદરૂપ કરે છે. જમીન પર બેસીને ખાવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઠીક રીતે થાય છે અને તમામ અંગો સુધી લોહી પહોંચે છે.
તો બીજી તરફ ડાઇનિંગ ટેબલ પર બેસીને ભોજન કરીએ તો લોહી સર્કુલેશન ઉધું થઇ જાય છે. જે શરીર માટે હાનિકારક છે. માનવામાં આવે છે કે જે લોકો જમીન પલાઠીવાળીને ભોજન કરે છે અને કોઇ પણ મદદ વગર ઉભા થાય છે તેઓ લાંબા સમય સુધી જીવિત રહે છે.
ભારતમાં એકસાથે બેસીને ભોજન કરવાની પ્રથા લાંબા સમયથી ચાલતી આવી છે જ્યારે પણ જમીન પર ભોજન કરવા માટે બેસીએ છીએ અને ઉભા થઇએ છીએ તો અર્ધપદ્માસનની સ્થિતિ બને છે જે ભોજનને ઝડપથી પચાવવામાં મદદરૂપ થાય છે. આ પ્રકારને જમીન પર બેસીને ભોજન કરવાથી શરીરને વધારે ફાયદો થાય છે.