જન્માષ્ટમીના દિવસ નિમિત્તે દેશના અલગ અલગ ભાગમાં ઘણા દિવસોથી આ તહેવારની તૈયારીઓ ચાલી રહી હતી. બધી જગ્યાએ કૃષ્ણના જીવનથી જોડાયેલી વિવિધ રૂપની ઝાંકીઓ તૈયાર કરવામાં આવી છે. પરંતુ સૌથી વધારે આ તહેવાર પર ઉમંગ દહી હાંડીની રહે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જન્માષ્ટમી અને દહીં-હાંડીમાં શું સંબંધ છે? શા માટે આ દિવસે મહારાષ્ટ્રના દરેક ખૂણે એની હરિફાઇ યોજવામાં આવે છે. જેમાં હજારો લોકો સામેલ થાય છે? અમે તમને એના રોચક તથ્યો જણાવીએ છીએ.
કૃષ્ણએ રચી છે આ પૂરી રમત
પોતાના બાળપણમાં શ્રીકૃષ્ણ ખૂબ જ નટખટ હતા આખા ગામમાં એમને એમના તોફાન માટે ઓળખવામાં આવતા હતા. શ્રીકૃષ્ણને માખણ દહીં અને દૂધ ખૂબ જ પસંદ હતું એમને માખણ એટલું પસંદ હતું કે આખા ગામમાં માખણ ચોરીને કરીને ખાઇ જતા હતા. આટલું જ નહીં એમને માખણ ચોરી કરતાં રોકવા માટે એમની માતા યશોદાએ એમને એક થાંભલા સાથે બાંધવા પડ્યા અને આ કારણથી ભગવાન શ્રીકૃષ્ણનું નામ 'માખણ ચોર' પડ્યું.
વૃંદાવનમાં મહિલાઓએ જામેલા માખણની મટકીને ઊંચાઇ પર લટકાવવાનું શરૂ કરી દીધું. જેનાથી શ્રીકૃષ્ણનો હાથ ત્યાં સુધી પહોંચી શકે નહીં. પરંતુ નટખટ કૃષ્ણની સમજદારી આગળ એમની આ યોજના વ્યર્થ સાબિત થઇ.
માખણ ચોરવા માટે શ્રીકૃષ્ણ પોતાના મિત્રો સાથે મળીને એક પિરામિડ બનાવતા અને ઊંચાઇ પર લટકાયેલી માટલીથી દહીં અને માખણને ચોરી લેતા હતા. ત્યારથી પ્રેરિત થઇને દહી-હાંડીનું ચલણ શરૂ થયું. એટવા માટે આપણે દહીં-હાંડીની રમતથી કૃષ્ણને યાદ કરીએ છીએ અથવા કહી શકીએ કે આ એમના જન્મદિવસનો ઉત્સવ મનાવવાની એક રીત છે.