15 એપ્રિલ એટલે કે આજે ગુડ ફ્રાઈડે છે. આ ઈસાઈ ધર્મનો પ્રમુખ તહેવાર છે. જાણો આ તહેવારનું મહત્વ અને તેના પાછળનો ઈતિહાસ
આજે છે ગુડ ફ્રાઈડે
બ્લેક ફ્રાઈડે તરીકે પણ ઓળખવામાં આવે છે
17 એપ્રિલનાં રોજ છે ઇસ્ટર સંડે
આજે છે ગુડ ફ્રાઈડે
આજે એટલે કે 15 એપ્રિલનાં રોજ ગુડ ફ્રાઈડે છે. ઈસાઈ સમુદાયનો આ મુખ્ય તહેવાર છે. ઈસાઈ ધર્મનાં લોકો આ તહેવારને કાળા દિવસના રૂપમાં મનાવે છે. એવી માન્યતા છે કે આ જ દિવસે ભગવાન યીશુ મસીહએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. આ જ કારણે ઈસાઈ ધર્મનાં લોકો ગુડ ફ્રાઈડેનાં દિવસે ભગવાન ઈશુનાં બલિદાનને યાદ કરે છે. આ દિવસને હોલીફ્રાઈડે, બ્લેક ફ્રાઈડે કે ગ્રેટ ફ્રાઈડે પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો ચર્ચમાં જઈને પ્રાર્થના કરે છે. ઘણા લોકો પ્રભુ ઈશુની યાદમાં ઉપવાસ કરે છે અને મીઠી રોટલી બનાવીને ખાય છે. એવી માન્યતા છે કે ફ્રાઈડેનાં દિવસે ક્રૂસ પર ચઢાવાયા બાદ ત્રીજા દદિવસે યીશુ મસીહ ફરી જીવિત થઇ ગયા હતા, એ જ ખુશીમાં ઇસ્ટર સંડે મનાવવાની પરંપરા છે.
ગુડ ફ્રાઈડે ક્યારે આવે છે?
ગુડ ફ્રાઈડે ઇસ્ટર સંડે પહેલા શુક્રવારે મનાવવામાં આવે છે. વર્ષ 2022માં ઇસ્ટર સંડે 17 એપ્રિલ 2022નાં રોજ છે. આવામાં ગુડ ફ્રાઈડે 15 એપ્રિલ એટલે કે આજે મનાવવામાં આવશે.
ગુડ ફ્રાઈડેનો ઈતિહાસ
ગુડ ફ્રાઈડે મનાવવા પાછળની માન્યતા છે કે લગભગ 2 હાજર વર્ષ પહેલા યરુશલમનાં ગૈલિલી પ્રાંતમાં ઈસા મસીહ લોકોને એકતા, અહિંસા અને માનવતાનો પાઠ આપતા હતા. આ દરમિયાન લોકો તેમને ઈશ્વર માનવા લાગ્યા હતા. પરંતુ અમુક લોકો ઈસા મસીહની ઈર્ષ્યા કરતા હતા. આવા લોકો ધાર્મિક અંધવિશ્વાસને ફેલાવવામાં વિશ્વાસ રાખતા હતા.
તેમણે ઈસા મસીહની ફરિયાદ રોમનાં શાસ પિલાતુસને કરી, જે પોતે ખુદને ઈશ્વરનો પુત્ર જણાવતો હતો. ઇસ મસીહ પર ધર્મ અવમાનના અને રાજદ્રોહનો આરોપ લાગ્યો. ઈસા મસીહને મૃત્યુદંડ સંભળાવવામાં આવ્યો હતો. તેમને કાંટાથી બનેલ તાજ પહેરાવવામાં આવ્યો અને ચાબુકથી મારવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે ખીલ્લાની મદદથી સુલી પર લટકાવવામાં આવ્યા હતા. બાઈબલ અનુસાર. જે સુલી પર ઈસા મસીહને ચઢાવવામાં આવ્યા હતા, તેને ગોલ ગાથા કહેવામાં આવે છે.
ગુડ ફ્રાઈડે નામ કેમ પડ્યું?
જે દિવસે ઈસા મસીહ પર આરોપ લગાવીને તેમને સુલી પર ચઢાવવાની સજા આપવામાં આવી અને તેમનું મૃત્યુ થયું, તે દિવસને દર વર્ષે ગુડ ફ્રાઈડે તરીકે મનાવવામાં આવે છે. જોકે આ દિવસને બ્લેક ફ્રાયડે કે ગ્રેટ ફ્રાયડે પણ કહેવામાં આવે છે. આ દિવસને ગુડ ફ્રાઈડે કહેવાનું કારણ એ હતું કે લોકો આ દિવસને કે પવિત્ર દિવસ માને છે. લોકો ઈસા મસીહનાં બલિદાનને યાદ કરે છે. ચર્ચમાં સેવા કરીને તે ક્ષણોને યાદ કરે છે, જ્યારે યીશુએ માનવસેવા માટે પોતાના પ્રાણ પણ ત્યાગી દીધા હતા.