9 જુલાઇએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમે પોતાના સૌથી પસંદગીના કલાકાર કવિ કુમાર આઝાદને ગુમાવી દીધા. એમના અચાનક હાર્ટ અટેકથી પૂરી ટીવી ઇન્ડસ્ટ્રી આઘાતમાં છે. તેઓ ખૂબ જ ખુશ મિજાજ માણસ હતા. શો માં પોલીસનો રોલમાં ડોવા મળતા ચારુ પાંડે એટલે કે દયાશંકર પાંડેનું કહેવું છે કે એમનાથી વધારે ખુશમિજાજ વ્યક્તિ સેટ પર કોઇ નહતું. દયાશંકરે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે કેમ કવિ કુમારે લગ્ન કર્યા નહતા.
એમના જણાવ્યા અનુસાર 'કવિ કુમાર આઝાદ પોતાના પરિવારની ખૂબ જ ચિંતા કરતા હતા. એમને લઇને તેઓ ચિંતિત રહેતા હતા. એટલા માટે એમને લગ્ન ના કરવાનો નિર્ણય કર્યો. કવિ કુમાર પોતાના માતા પિતા અને ભાઇ ભાભીની ખૂબ જ મજીક હતા. એ એમના માટે જ જીવતા હતા. એટલા માટે એમને એવો નિર્ણય લીધો હતો કે એ ક્યારેય પણ લગ્ન કરશે નહીં.'
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના પસંદગીના કલાકાર ડૉ.હંસરાજ હાથીના મોત બાદ શો ના દરેક સભ્યો સહિત પ્રશંસકોને આઘાત લાગ્યો છે. આ માટે શો ના પ્રોડ્યૂસર અસિત મોદીનું કહેવું છે કે અમને કવિ કુમાર આઝાદનું જવાનું ખૂબ દુખ છે પરંતુ કિરદારને આગળ શો માં ખતમ કરવામાં આવશે નહીં અમે શો માં આ કિરદાર માટે બીજું રિપ્લેસમેન્ટ શોધી રહ્યા છે.
નોંધનીય છે કે 8 વર્ષ પહેલા ડૉ.હાથીએ પોતાની બેરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડૉ. મુફી લાકડવાલાએ ફ્રી માં કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે એ દરમિયાન સલમાન ખાને ડૉ.હાથીની દવાઓ ઓપરેશન થિએટર અને રૂમનો ખર્ચ ઊઠાવ્યો હતો.
વજનના કારણે એ ચાલી પણ શકતા નહતા. એમને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રહેવું પડ્યું એમાથી એમને ખસેડવામાં આવી શકતા નહતા કારણ કે એ એના વગર શ્વાસ પણ લઇ શકતા નહતા. બેરિએટ્રિક સર્જરીના બાદ એમનું વજન 140 કિલો સુધી ઓછું થઇ ગયું હતું.
ત્યારબાદ એમને બીજી બેરિએટ્રિક સર્જરીની સલાહ આપવામાં આવી હતી પરંતુ તેઓ એના માટે રાજી થયા નહતા. એનાથી એમનું વજન 90 કિલો સુધી ઓછું થઇ શકે છે. કવિ કુમારને લાગ્યું કે એ ફરીથી બેરોજગાર થઇ જશે.
ડૉ.મુફીએ એમને પેન્ડિંગનો ઉપયોગ કરીને કેમેરાનો સામનો કરવાની સલાહ આપી પરંતુ એના માટે તેઓ ખુશ થયા નહતા. ત્યારબાદ એમનું વજન 20 કિલો વધી ગયું હતું. એ 160 કિલોના થઇ ગયા હતા. પરંતુ એ હજુ પણ બેરિએટ્રિક સર્જરી કરાવવા ઇચ્છતા નહતા. જો આવું થઇ જાત તો આજે ડૉ.હાથી જીવતા હોત.