પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે- પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મશ્રી.
વર્ષ 2020 અને 2021 માટે બે પદ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
પદ્મ પુરસ્કાર ત્રણ શ્રેણીઓમાં આપવામાં આવે છે.
પુરસ્કારોમાં સાત પદ્મ વિભૂષણ, 16 પદ્મ ભૂષણ અને 122 પદ્મ શ્રી પુરસ્કાર વર્ષ 2020 અને 2021 માટે આપવામાં આવ્યા.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંદ્રા આ વર્ષે પદ્મ પુરસ્કાર મેળવવાની લિસ્ટમાં શામેલ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા. આ મહત્વપૂર્ણ અને ગૌરવશાળી સન્માનને મેળવ્યા બાદ પણ આનંદ મહિન્દ્રા પોતાને તેના લાયકલ નથી માની રહ્યા. તેમણે આ વાત પોતાના એક ટ્વીટમાં જણાવી છે અને આ ટ્વીટમાં એમ પણ માન્યું છે કે તે એવું શા માટે માની રહ્યા છે.
🙏🏽 for all your congratulations on my Padma Bhushan award. Repeating my tweet from last year: “There’s an old saying: If you see a turtle on top of a fence, you know for sure it didn’t get there on its own! I stand on the shoulders of all Mahindraites.” https://t.co/tdJBbjNNWo
આનંદ મહિન્દ્રાએ કર્યું ટ્વીટ
આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વીટમાં કહ્યું, આ સરકારે પદ્મ પુરસ્કાર મેળવનારની પ્રકૃતિને લઈને લાંબા સમયથી રહી ગયેલા પરિવર્તનકારી ફેરફાર કર્યા છે. હવે જમીની સ્તર પર સામજના સુધારમાં મૌલિક યોગદાન આપનાર વ્યક્તિઓ પર મુખ્ય રૂપથી ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. 'હું વાસ્તવમાં તે શ્રેણીમાં શામેલ થવા માટે પોતાની જાતને યોગ્ય નથી માનતો.' પોતાના ટ્વીટમાં આનંદ મહિન્દ્રાએ તુલસી ગૌડાને પદ્મ પુરસ્કાર મળવાની તસ્વીર પણ શેર કરી છે. રાષ્ટ્રપતિ કોવિંદે કર્ણાટકના પર્યાવરણવિદ્દ તુલસી ગૌડાને સામાજીત કાર્ય માટે પદ્મશ્રી આપવામાં આવ્યો છે. તેમણે 30,000થી વધુ છોડ રોપ્યા છે અને પાછલા છ દશકોથી તે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિઓમાં શામેલ છે.
This Govt has made a long-overdue, transformational shift in the texture of the Padma Awards recipients. Now, the focus is largely on individuals making seminal contributions to the improvement of society at grassroots levels. I truly felt undeserving to be amongst their ranks. https://t.co/jor34tqx1w
હવે ફક્ત નામી હસ્તીઓ સુધી સીમિત નથી રહી ગયો પુરસ્કાર
પાછલા થોડા વર્ષોમાં દેશમાં નામી હસ્તીઓ ઉપરાંત જમીન સાથે જોડાયેલા સાધારણ લોકોને પણ પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વર્ષે પદ્મ પુરસ્કાર મળવનારના લિસ્ટમાં જ્યાં એક તરફ જોર્જ ફર્નાડીસ, અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, કંગના રનૌત, એમ.સી.મેરી કોમ, આનંદ મહિન્દ્રા, પીવી સિંધૂ જેવી હસ્તિઓના નામ પણ શામેલ છે તો બીજી તરફ નારંગી વેચનાર હરેકલા હજબ્બા, સાઈકલ મેકેનિક મોહમ્મદ શરીફ, અબ્દૂલ અબ્બાર ખાન, લીલા જોશો, તુલસી ગૌડા, રાહીબાઈ સોમા પોપેરે જેવા અસાધારણ કામ કરનાર લોકોનો પણ સમાવેશ થાય છે.
President Kovind presents Padma Shri to Shri Nanda Prusty for Literature & Education. 102-yr-old “Nanda sir”, who provided free education to children and adults at Jajpur, Odisha for decades, raised his hands in a gesture of blessing the President. pic.twitter.com/4kXPZz5NCJ
સામાન્ય લોકોના ખાસ કામ
પદ્મશ્રી સન્માનિત મૈંગલોરના નારંગી વિક્રેતા હરેકલા હજબ્બાએ સંતરા વેચીને પૈસા ભેગા કરીને પોતાના ગામમાં સ્કૂલ ખોલી. સ્કૂલ 'હજબ્બા આવારા શૈલ' એટલે કે હજબ્બાને સ્કૂલ નામથી ઓળખવામાં આવે છે. સાયકલ મેકેનિક મોહમ્મદ શરીફને પણ પદ્મશ્રી આપવામાં આવ્યો. શરીફે સંપૂર્ણ સન્માન સાથે લાવારિસ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા છે. ભોપાલ ગૈસ તબાહીના પીડિતો માટે ન્યાયની લડાઈ માટે જાણીતા ભોપાલના અબ્દુલ જબ્બાર ખાનને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા.