જાણો શાહરૂખ ખાનનાં ઘર 'મન્નત' માં પહેલા કોણ રહેતું હતું તથા શા માટે તેનું નામ મન્નત પડ્યું
શાહરૂખનાં 'મન્નત'ની મહિમા
'મન્નત'માં પહેલા કોણ રહેતું હતું?
શાહરૂખે શા માટે ઘરનું નામ મન્નત રાખ્યું?
શાહરૂખનાં 'મન્નત'ની મહિમા
મુંબઈ જતો દરેક વ્યક્તિ 'મન્નત' ની સામે પહોંચી શકે અને ઈક ફોટો તો જરૂર ખેંચાવે. સામાન્ય દિવસોમાં પણ શાહરૂખનાં ઘરની સામે 100 લોકો તો ભેગા થઇ ગયા જ હોય.
બોલિવુડનું નામ લો તો કિંગ ખાન વટલે કે શાહરૂખ ખાન તો મગજમાં આવે જ અને શાહરૂખને યાદ કરો એટલે 'મન્નત' યાદ આવે. મુંબઈ જતો દરેક વ્યક્તિ 'મન્નત'ની સામે એક ફોટો તો જરૂર પડાવવા માંગતો હોય છે. ચાલુ દિવસોમાં પણ ઓછામાં ઓછા 100 લોકો તો શાહરૂખનાં ઘરની સામે જોવા મળે જ. મુંબઈનાં બાંદ્રામાં આવેલ 'મન્નત' એ શાહરૂખનું લકઝરીયસ ઘર છે. પણ શું 'મન્નત' પહેલાથી જ 'મન્નત' હતું? શાહરૂખ પહેલા અહી કોણ રહેતું હતું? ચાલો અમે તમને જણાવીએ.
Villa Vienna in Bandra b4 it bcm Shahrukh Khan's "Mannat".Films lk Tezab & Bombay hv been shot here b4 he moved in pic.twitter.com/t3qhzDaXPS
મન્નત પહેલા તેનું નામ 'Villa Vienna' હતું. તેના મૂળ માલિક ગુજરાતી મૂળના પારસી વ્યક્તિ કેકુ ગાંધી હતા. તેઓ એક પ્રખ્યાત શિલ્પકાર અને ગેલેરીસ્ટ હતા. 'Villa Vienna'ની પાસે આવેલી ઈમારત, જેનું નામ 'Kekee Manzil' હતું, તે પણ તેમની જ માલિકીનું હતું. કેકુજીના દાદા માણેકજી બાટલીવાળા 'Kekee Manzil'માં રહેતા હતા. કેકુની માતા Villa Vienna ઉર્ફે મન્નતમાં રહેતી હતી.
નાણાકીય નુકસાનને કારણે માણેકજી બાટલીવાળાએ Villa Viennaને ભાડા પર આપવાનું શરુ કર્યું અને તેમનો આખો પરિવાર 'Kekee Manzil'માં રહેવા લગ્યો. વિલા વિયેના નરીમાન દુબાશના નામે બની ગયું. ત્યારબાદ શાહરૂખ ખાને આ ઘર નરીમાન દુબાશ પાસેથી 13.32 કરોડમાં ખરીદ્યું છે. એવું કહેવાય છે કે, શાહરૂખ ખાને દુબાશને ઘર વેચવા માટે ખુબ મનાવવું પડ્યું કારણ કે એસઆરકે તેના સ્થાન, વિસ્તાર વગેરેને કારણે તેને ખરીદવા માટે આતુર હતો.
શાહરૂખે શા માટે ઘરનું નામ મન્નત રાખ્યું?
શરૂઆતમાં શાહરૂખ પોતાના ઘરના નામને જન્નત રાખવા માંગતો હતો, પરંતુ એકવાર તેણે ટ ખરીદ્યું તો તેની બધી ઈચ્છાઓ પૂરી થઇ ગઈ, તેથી તેણે પોતાના ઘરનું નામ 'મન્નત' રાખ્યું.