જ્યારે બંને વકીલો કોર્ટની બહાર એકમેકના ખભે હાથ રાખીને ચાલી રહ્યા હતા ત્યારે તેમના જૂનિયર્સ પણ સામેલ હતા. તેઓ અને સાથે આસપાસના અન્ય વકીલો પણ આ દુર્લભ દ્શ્ય જોઈ રહ્યા હતા. જે વકીલો કોર્ટ રૂમમાં એકમેકની સામે બાથ ભીડતા હોય તે આટલી સહજતાથી સાથે કઈ રીતે હોઈ શકે.
કોર્ટની બહાર રાજીવ ધવન અને પરાસરન એક સાથે જોવા મળ્યા
ખભા પર હાથ રાખીને હસીને સાથે ચાલી રહ્યા હતા બંને વકીલો
કોર્ટમાં એકમેકની સાથે બાથ ભીડનારા વકીલો જોવા મળ્યા એકસાથે
અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં 40 દિવસ સુધી ચાલેલી કાર્યવાહી સમયે બંને પક્ષના વકીલોએ એકમેકની વિરુદ્ધ અનેક તરક્ આપ્યા હતા. કોર્ટ રૂમમાં અનેક અવસર આવ્યા જ્યારે બંને પક્ષોના વકીલે એકમેકને હરાવવાની સંપૂર્ણ કોશિશ કરી. એટલું જ નહીં સુનાવણીના છેલ્લા દિવસે મુસ્લિમ પક્ષ (સુન્ની વક્ફ બોર્ડ)ના વકીલ રાજીવ ધવને કોર્ટરૂમમાં હિંદુ મહાસભાના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલો નક્શો પણ ફાડી દીધો હતો. બુધવારે આ કેસમાં છેલ્લી સુનાવણી હતી. હવે તેની પર નિર્ણય આવવાનો છે. અંતિમ સુનાવણી પૂર્ણ જેવી પૂરી થઈ ત્યારબાદ બંને પક્ષના વકીલો કોર્ટરૂમની બહાર નીકળ્યા. બંને એકમેકના ખભે હાથ મૂકીને ચાલી રહ્યા હતા. આ સમયે અહીં તેમની જૂનિયર્સ ટીમ અને અન્ય વકીલો હતા તે પણ દંગ રહી ગયા.
જાણો કોણ છે રાજીવ ધવન
73 વર્ષના રાજીવ ધવન સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ છે. વર્ષ 1992 અને 1994માં તેઓ ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેઓએ મંડળ કમિશન અને અયોધ્યા કેસમાં જબરદસ્ત રીતે લડત આપી હતી. ત્યારબાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ નિયુક્ત કરવામાં આવ્યા. ધવને વકાલતની શરૂઆત કપિલ સિબ્બલની સાથે કરી પણ પછી તેઓ તેમનાથી અલગ થયા. ધવન ઇન્ડિયન લો ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર છે. અયોધ્યા કેસમાં સુન્ની વક્ફ બોર્ડની તરફથી કેસ લડી રહ્યા છે.
જન્મ, અભ્યાસ અને પરિવાર
ધવને અલ્હાબાદ અને શેરવુડ સ્કૂલ નૈનીતાલથી અભ્યાસ પૂરો કર્યો છે.પછી અલ્હાબાદ યુનિવર્સિટી કેમ્બ્રિજ યુનિવર્સિટી અને લંડન યુનિવર્સિટીમાં હાયર એજ્યુકેશન કર્યું છે. વર્ષ 1943માં અવિભાજિત ભારત (હાલનું પાકિસ્તાન)માં જન્મ્યા હતા. માનવઅધિકાર કાર્યકર્તા હોવાની સાથે સાથે ઇન્ટરનેશનલ કમિશન ઓફ જ્યૂરિસ્ટના કમિશ્નર પણ છે. તેમના પિતા શાંતિ સ્વરૂપ ધવન બ્રિટેનમાં ભારતના રાજદૂત, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને લો કમિશનના સદસ્ય રહી ચૂક્યા છે.
મળો પરાસરનને..
રામલલા વિરાજમાનના વકીલ કે, પરાસરન સીનિયર વકીલ છે. 92 વર્ષના પરાસરણ તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન સમયે 1976માં મહાધિવક્તા રહી ચૂકેલા છે. આ સિવાય ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોના સમયે તેઓ એટર્ની જનરલ ઓફ ઈન્ડિયા પણ રહી ચૂક્યા છે. વર્ષ 2003માં તેમને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 2012માં રાષ્ટ્રપતિએ તેમને રાજ્યસભા સદસ્યના રૂપમાં જાહેર કર્યા.
લડી ચૂક્યા છે આ 2 મહત્વના કેસ
2016 બાદ પરાસરનને ફક્ત 2 કેસમાં સુપ્રીમ કોર્ટમાં હાજર થવું પડ્યું હતું. એક કેસ સબરીમાલા કેસ અને અન્ય છે અયોધ્યા કેસ. 1970ના દશકથી જ પરાસરન લગભગ દરેક સરકારના જાણીતા કાયદાકીય સલાહકાર રહ્યા છે. સુપ્રીમ કોર્ટના જજ અને મદ્રાસ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સંજય કિશન કૌલે ધર્મ સાથે અન્યાય કર્યા વિના કાયદાના ક્ષેત્રમાં પરાસરનનું યોગદાન યાદ કરતાં તેઓને ઇન્ડિયન બારના પિતામહની સંજ્ઞા આપી. સબરીમાલા કેસમાં પરાસરને મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર લાગેલા પ્રતિબંધના સમર્થનમાં કેસ લડ્યો હતો.