સરકાર દર વર્ષે બજેટ લાવે છે. પરંતુ શું તમે જાણો થો કે ભારતમાં બજેટની શરૂઆત કોને કરી હતી. કોને દેશનું પહેલું બજેટ તૈયાર કર્યું, અમે તમને જણાવી રહ્યા છીએ કે કોને ભારતનું પહેલું બજેટ તૈયાર કર્યું.
કેન્દ્ર સરકાર પાંચ જુલાઇએ સામાન્ય બજેટ રજૂ કરવાની છે. આ પહેલા ફેબ્રુઆરીમાં એનડીએ સરકારે જ અંતરિમ બજેટ રજૂ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે દેશનું પહેલું બજેટ કોને તૈયાર કર્યું હતું, આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભારતમાં કોને બજેટની શરૂઆત કરી. જેમ્સ વિલસને સન 1860માં ભારતનું પહેલું બજેટ તૈયાર કર્યું. વિલસને જ એ બેંકની સ્થાપના કરી હતી, જેને આજે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના રૂપથી ઓળખાય છે. સાથે જ વિલસન જ વ્યાપક તરીકે વંચાતી પત્રિકા 'ધ ઇકૉમનિસ્ટ' ના ફાન્ડર હતા.
વિલસને પોતાના કરિયરની શરૂઆત એક હેટ મેકર તરીકે કરી હતી અને ઘણા વર્ષો સુધી એને ફાઇનેન્સ અને ઇકોનૉમિક્સનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, ત્યારબાદ તે અવિભાજિત ભારતમાં વાયસરાય લૉર્ડ કેનિંગની કાઉન્સિલમાં ફાઇનેન્સના મેમ્બર બન્યા. તેઓ બ્રિટિશ પાર્લિયામેન્ટના સભ્ય પણ હતા.
જેમ્સ વિલસને ભારતમાં પહેલી વખત સન 1860માં જ ઇનકમ ટેક્સ એક્ટ લાવ્યા. એનાથી મોટો વિવાદ પેદા થયો. વિલસને એના પક્ષમાં તર્ક આપ્યો હતો કે બ્રિટિશ ભારતીયોને વેપાર કરવા માટે સુરક્ષિત માહોલ પૂરો પાડે છે, એટલા માટે એના બદલામાં ઇનકમ ટેક્સના રૂપમાં એક ફી ચાર્જ કરવી ન્યાયોચિત પગલું છે.
વિલસન 28 નવેમ્બર 1859માં ભારત આવ્યા હતા. ત્યારે અંગ્રેજ 1857માં આઝાદીની પહેલી લડાઇથી નિપટાઇ ચુક્યા હતા. એનાથી નિપટવામાં અંગ્રેજોએ ખૂબ જ સંસાધન ખર્ચ કરવા પડ્યા હતા. ખાસ કરીને સેના પર થયેલા ખર્ચના કારણે સરકાર દેવામાં ડૂબી હતી. એ વખતે વિલસને ઇનકમ ટેક્સ એક્ટ લાવીને અંગ્રેજોને મોટી રાહત આપી હતી.
કેનેડાના બે શોધકર્તાઓએ વિલ્સન દ્વારા પોતાની પત્રિકામાં ભારત પર સન 1843 થી લઇને 1860 સુધી લખવામાં આવેલા લેખોનું વિશ્લેષણ કર્યું, જે એક લેખના રૂપમાં 2016માં પ્રકાશિત થયો. લેખ પ્રમાણે 19મી સદીમાં રાજકીય અર્થશાસ્ત્રના ઉદાર વિચાર લાઇસેજ ફેરનું સમર્થન કરતા હતા, પરંતુ તેમ છતાં એમને અર્થવ્યવસ્થામાં સરકારી હસ્તક્ષેપ અપનાવ્યો અને ટેક્સેશન વધાર્યો.