21 જૂને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. ત્યારે આ નિમિત્તે અમે તમને કયા રોગમાં કયા આસનો કરવા તેના વિશે જાણકારી આપીશું. જેથી તમે તમારી સમસ્યા પ્રમાણે આસનો કરી શકો છો. આસનના અભ્યાસ દ્વારા શારીરિક અને માનસિક સ્થિરતા, આરોગ્ય તથા સ્ફૂર્તિ મેળવી શકાય છે. પોતપોતાની પ્રકૃતિ, શારીરિક સમસ્યાઓ પ્રમાણે દરેક વ્યક્તિ જુદાં-જુદાં આસનો કરી શકે છે. તો જાણો કયા રોગમાં કયા આસનો કરવા.
ધ્યાન રાખો
આસન અનુભવી વ્યક્તિના માર્ગદર્શન હેઠળ કરવા હિતાવહ છે.
આસન કરતી વખતે શરીર ઉપર બળજબરી કરવી નહીં.
મોટા ભાગના આસનો પેટ સાફ થયા પછી કરવાના હોય છે. સાધક નિરોગી હોય એ પણ આવશ્યક છે.