ગુજરાતમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AIMIM પાર્ટી પોતાના ઉમેદવારો ઉતારી રહી છે. જેને ટક્કર આપવા માટે હિન્દુત્વનો ચહેરો ગણાતા ડૉ.પ્રવીણ તોગડિયા મેદાને આવ્યા છે. પ્રવિણ તોગડિયાની પાર્ટી હિન્દુસ્તાન નિર્માણ દળ ભરૂચમાં ચૂંટણી લડશે. ઓવૈસીના ઉમેદવારોની વિરુદ્ધ HNDના નેતાઓ પણ ફોર્મ ભરશે. ભરૂચમાં નગરપાલિકાનાં તમામ 11 વોર્ડની 44 બેઠક પર હિન્દુસ્તાન નિર્માણ દળ પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત પત્રકાર પરિષદ કરાઈ છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી AIMIM પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદાવારી કરી રહી છે. AIMIMએ ગુજરાતમાં છોટુ વસાવાની પાર્ટી BTP સાથે ગઠબંધન કર્યું છે. જે બાદ ઔવેસી ગુજરાતના પ્રવાસે પણ હતા. અને ભરૂચમાં સભાને સંબોધન પણ કર્યું હતું. આ બાદ પ્રવિણ તોગડિયાના નેતાઓ દ્વારા પણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તેમણે પણ પોતાની પાર્ટી HNDને મેદાને ઉતારી છે. જે બાદ સ્થાનિક ક્ષેત્રે ચર્ચાના માહોલમાં ગરમાવો જાગ્યો છે.