2 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. આવામાં જાણો નવરાત્રી દરમિયાન ક્યા રંગના કપડા પહેરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ક્યા રંગના કપડા માતાજીને પસંદ નથી.
નવરાત્રી દરમિયાન ન પહેરો કાળા રંગના કપડા
થશે નુકસાન
કાળા કપડા નાકારાત્મકતાનું પ્રતિક
ચૈત્રી નવરાત્રી
ચૈત્ર નારાત્રી 2 એપ્રિલ 2022, શનિવારથી શરુ થઇ ચુકી છે. નવરાત્રીના નવ દિવસ દરમિયાન, મા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે વિધિ-વિધાનથી કરવામાં આવેલ પૂજા બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે. મા દુર્ગાની કૃપાથી ભક્તોને શૌર્ય, આત્મવિશ્વાસ, સુખ-સમૃદ્ધિ મળે છે. આ દરમિયાન માની ઉપાસના કરવાની સાથે સાથે અમુક વાતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આમાં એક મુખ્ય વસ્તુ છે તમારા કપડા. શું તમે જાણો છો કે માતાજીની પૂજા દરમિયાન ક્યા રંગના કપડા ન પહેરવા જોઈએ અને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એ પણ જાણો લો કે માતાજીને ક્યા ક્યા રંગ પસંદ છે.
નવરાત્રીમાં ન પહેરો કાળા કપડા
નવરાત્રી દરમિયાન પૂજા કરતા સમયે ભૂલથી પણ કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. ધર્મ શાસ્ત્રો અનુસાર, માતાજીને કાળા રંગના કપડા પસંદ નથી. જો શક્ય ઓય તો નવરાત્રી દરમિયાન કાળા રંગના કપડા પહેરવાનું ટાળો. કાળો રંગ નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે અને નવરાત્રીનો સમય અત્યંત શુભ સમય માનવામાં આવે છે, આવામાં આ દરમિયાન શુભ રંગ જ પહેરવો જોઈએ.
આ પ્રકારના કપડા પહેરવા જોઈએ
આ નવ દિવસો દરમિયાન, ખાસકરીને માતાજીની પૂજા કરતા સમયે લીલા, લાલ, કેસરિયા, પીળા, વાદળી જેવા રંગ જ પહેરવા જોઈએ. આવું કરવાથી મા પ્રસન્ન થઇ જાય છે અને શુભ ફળો આપે છે. સાથે જ કોશિશ કરો કે તમે કોટનનાં કપડાં જ પહેરો. આ ફેબ્રિકને પૂજા પાઠ માટે શુભ માનવામાં આવે છે. સાથે જ આવા કપડા આરામદાયક પણ હોય છે, જેથી તમારી ભક્તિમાં કોઈ અડચણ પણ આવતી નથી.
નવરાત્રી દરમિયાન, એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે કોઈ બીજા વ્યક્તિના કપડા ન પહેરો. હંમેશા પોતાના અને સાફ કપડા જ પહેરવા જોઈએ.