હોળીના પર્વની લોકો બેચેનીથી રાહ જુએ છે. જાણો આ વર્ષે હોળી ક્યારે છે તથા હોળી પાછળની રસપ્રદ વાર્તાઓ
ક્યારે છે હોળી?
હોલિકા દહનનું શુભ મુરત તથા વિધિ
હોળી મનાવવા પાછળની પૌરાણિક કથા
હોળીના પર્વની લોકો બેચેનીથી રાહ જુએ છે. ઘણા રંગો સાથે પોતાનાનો સાથ, પકવાનોનો સ્વાદ એવો હોય છે કે લોકો હોળીના ઉત્સવમાં ડૂબવા માટે બેસબ્રીથી દિવસો ગણે છે. આ સાલની વાત કરીએ તો 18 માર્ચ 2022, શુક્રવારે રંગોનો આ પર્વ મનાવવામાં આવશે. હોલિકા દહન 17 માર્ચ રાત્રે થશે. માન્યતા છે કે હોળીનો પર્વ ભક્ત પ્રહલાદની ભક્તિ તથા ભગવાન દ્વારા કરવામાં આવેલ તેની પ્રાણરક્ષાની ખૂશીના રૂપમાં મનાવવામાં આવે છે.
હોલિકા દહનનું શુભ મુરત તથા વિધિ
આ વર્ષે હોલિકા દહન કરવા માટે શુભ મુરત 17 માર્ક,2022, ગુરુવાર રાત્રે 9:20 થી રાત્રે 10:૩૧ સુધી રહેશે. એટલે કે હોલિકા દહન કરવા માટે કેવળ 1 કલાક 10 મિનિટનો સમય રહેશે. હોલિકા દહન કરવા માટે હવાદાર સ્થળ પર એક જગ્યા પસંદ કરી સૂકી લાકડી તથા ઉપલોનો ઢગલો કરવામાં આવે છે. પછી, શુભ મૂરતમાં તેની પૂજા કરીને તેને સળગાવવામાં આવે છે. તેના પછીના દિવસે રંગ-ગુલાલ લગાવીને હોળી મનાવવામાં આવે છે.
હોળી મનાવવા પાછળની પૌરાણિક કથા
ધર્મ-પુરાણો અનુસાર, અસુર રાજા હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. અસુર્રાજાને આ વાત પસંદ ન હતી. તેને પોતાના પુતને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવાથી રોકવા માટે ઘણી રીતો અપનાવી અને જ્યારે તે દરેક વખતે નાકામ રહ્યો ત્યારે તેની બહેન હોલિકાએ આ જવાબદારી ખૂદ પર લઇ લીધી. હોળીકાને વરદાન હતું કે અગ્નિ તેને બાલી શકે નહિ. પોતાના ભત્રીજા પ્રહલાદને મારવા માટે તે તેને ખોળામાં લઈને અગ્નિમાં બેસી ગઈ. પ્રલાદ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતો રહ્યો તથા બચી ગયો, પરંતુ હોલિકા બળીને મારી ગઈ. ત્યારથી જ બુરાઈના અંતના પ્રતિક તરીકે ડર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાએ હોલિકા દહન કરવામાં આવે છે.